ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર આગામી 27-28 તારીખે મળશે.સરકારે બોલાવી તમામ ધારાસભ્યોની બેઠક
ગુજરાત વિધાનસભાનું બે દિવસ માટે મળશે સત્ર
27-28 તારીખે મળશે વિધાનસભાનું ટૂંકુ સત્ર
સરકારે બોલાવી ધારાસભ્યોની તાબડતોબ બેઠક
નવા સરદાર,અસરદાર સરકારના મંત્રને આત્મસાત કરવા જઈ રહી છે નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલ સરકાર.આગામી 27 અને 28 તારીખે માત્ર બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના\ આ સત્ર માટે તૈયારીના ભાગરૂપ ભાજપના ધારાસભ્યોની એક વિશેષ બેઠક મળશે.
સંભવત;રવિવારે સાંજે મળનારી ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં ગુજરાત ભાજપ સરકારની અત્યાર સુધીની કામગીરીની સમિક્ષા તો થશે જ.ઉપરાંત વિપક્ષને તેના કોઈ પણ પ્રશ્નોના જડબાતોડ જવાબ મળી રહે તે માટેની રણનીતિ ઘડાશે.ધારાસભ્યોની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.રાજ્યમાં આરોગ્ય,શિક્ષણ,પૂરપીડિતોને સહાય ઉપરાંત ખેડૂતો મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે કમર કસી છે. આ ઉપરાંત કોરોનાની કાળમાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓના પરિજનોને આર્થિક સહાય આપવા માટે પણ કોંગ્રેસ આ વિધાનસભાના ટૂંકા સત્રમાં માંગ ઉઠાવશે.
રાજ્ય સરકારે તૌક્તે ઉપરાંત હાલમાં જામનગર,જુનાગઢ રાજકોટ વિસ્તારમાં પૂર પ્રલયને લઈને સમિક્ષા કરી લીધી છે અને રાહત માટે પણ યોજના બનાવી લીધી છે.ઉપરાંત ,રાજ્ય સરકારે પૂર પીડિતોને અપાતી રાહત સહાયમાં પણ વધારો કરી દીધો છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસ વિધાનસભામાં આકરા તેવર દર્શાવી રૂપાણી સરકાર હસ્તક કરાયેલા કામોનો હિસાબ પણ માંગે તો નવાઈ નહિ રહે.
સરકારે કરી બે પ્રવક્તાઓની નિમણૂક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના બે સદસ્યોની સરકારે પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે.મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની નિમણૂક સરકારી પ્રવક્તા તરીકે થઇ છે. રાજ્ય સરકારની કોઈ પણ કામગીરીનું બ્રીફિંગ હવેથી આ બંને મંત્રી જ કરશે. સરકારે અન્ય મંત્રીઓને સમાચાર માધ્યમો સામે નિવેદન નહિ આપવા પણ ઈશારો કરાયો છે. સરકારને લગતા કોઈ પણ વિભાગ કે બાબત અંગે,સરકારની કામગીરીની માહિતી શ્રી ત્રિવેદી અને શ્રી વાઘાણી આપશે.