વિસનગર તાલુકાના તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 5.32 કરોડની ગ્રાન્ડ ફાળવવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
વધુ એક પ્રાચીન મંદિરનો કરાશે વિકાસ
તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી
ગુજરાતના પ્રાચીન મંદિરની વિકાસ યાત્રા અવિરત આગળ રહી છે. તેવામાં વધુ એક પ્રાચીન મંદિરના વિકાસ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ગ્રાન્ટની ફળવણી કરવામાં આવી છે. રબારી સમાજ સહીત અઢારેય વરણના આસ્થાના પ્રતિક એવા 900 વર્ષ જૂના મંદિરનો જિણોદ્વાર કરવામાં આવશે. જે મંદિરના વિકાસ અને જિણોદ્વાર માટે રૂ.5.32 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
900 વર્ષ જૂના મંદિરનો કરાશે જિણોદ્વાર
ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે ૯૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્યાં મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભુમિમાં પ્રથમ રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે વાળીનાથ મંદિર રબારી સમાજની ધર્મગુરૂનું ગાદી સ્થાન છે અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજનિય ગણે છે. આ જગ્યાના વિકાસ માટે સરકાર દ્વારા 5.32 કરોડની રકમ ફાળવવામાં આવતા સમાજ આગેવાનોએ આ નિર્ણયને આવકર્યો હતો. વધુમાં આગામી સમયમાં અહી રોડ, યાત્રિ સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવશે.