ઉત્તરાખંડમાં આકાશી આફતની વચ્ચે ત્યાં ફસાયેલા ગુજરાતીઓને બચાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં આભ ફાટ્યું
દેવભૂમિમાં દર્શને ગયેલા ગુજરાતીઓ ફસાયા
એક્શનમાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી મળતા જ સરકાર એક્શનમાં
દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરીથી મોટું સંકટ આવ્યું છે, રાજ્યમાં ભારે વરસાદ અને પર્વતો તૂટવાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ અલર્ટ આપવામાં આવ્યું હતું અને તેને જોતાં કેદારનાથ યાત્રા પણ આગામી આદેશ સુધી બંધ રાખવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. જોકે ઉત્તરાખંડનાં વિવિધ ધાર્મિક સ્થળો પર ગયેલા ગુજરાતીઓ હાલ ત્યાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. કેટલાક લોકોએ ટ્વિટર જેવા માધ્યમોથી પણ સરકાર પાસે મદદ માંગી છે ત્યારે હવે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરત એક્શન મોડમાં આવી ગયા છે.
Helpline numbers of Gujarat Government's Emergency Operations Center have been announced following the instructions of the CM so that the pilgrims from Gujarat trapped there can be contacted and other information can be obtained. The helpline number is 079- 23251900: Gujarat CMO
સીએમ પટેલે સીએમ ધામીને ફોન ઘુમાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે આ મુદ્દા પર ટેલિફોનિક ચર્ચા કરી છે. ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને બને તેટલી મદદ માટે ચર્ચા કરવામાં આવી છે જે બાદ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
હેલમપાઇન નંબર જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આદેશ બાદ ફસાયેલા ગુજરાતીઓનો સંપર્ક થઈ શકે છે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. CMOએ જાહેર કરેલ હેલ્પલાઈન નંબર છે, 079- 23251900. આ નંબર પર વધારે માહિતી પણ મેળવી શકાશે.