રાજ્યમાં 4 લાખથી વધુ રખડતા ઢોર હોવાનો અંદાજ છે ત્યારે શહેરી વિકાસ વિભાગને કામગીરીનો રિપોર્ટ સોંપવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
રખડતા પશુ મુદ્દે રાજ્ય સરકારનો આદેશ
શહેરી વિકાસ વિભાગને રિપોર્ટ કરવા તાકિદ
અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા મુખ્યમંત્રીનો આદેશ
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ છે. તો બીજી બાજુ તંત્ર ઉદાસીન. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. ક્યાંક ગાયના આતંકથી કોઈએ જીવ ગુમાવવો પડે છે તો ક્યાંક આખલાની લડાઈમાં વાહનચાલકનું થઈ જાય છે મોત. આખરે રસ્તા વચ્ચે ભમતા મોતનો ભય ક્યારે દૂર થશે?. રખડતા ઢોરથી નાગરિકોને મુક્તિ ક્યારે મળશે?. શું સરકાર પાસે કોઈ યોગ્ય વિકલ્પ નથી.?..કેમ શહેરો અને ગામડાઓમાં ઢોરના આતંકથી નાગરિકોને મુશ્કેલી થઈ રહી છે?
શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીનો આદેશ
આવા અનેક સવાલ ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે રખડતા પશુના મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતાં ઢોર મુદ્દેની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરુંરી છે.
રાજ્યમાં રસ્તા પર ફરે છે 'યમરાજ'!
રાજ્યમાં રખડતા ઢોરને લઇ જનતા પરેશાન છે
નાના નગરો જ નહીં મોટા શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ છે
વડોદરા, ભાવનગરમાં રખડતાં ઢોરોનાં કારણે મોત થયાં
જામનગર સહિતનાં શહેરોમાં રખડતાં ઢોરોનાં કારણે મોતના મામલા
અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ
રાજ્યમાં 4 લાખથી વધુ રખડતા ઢોર હોવાનો અંદાજ
7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10 ટકાથી વધુનો વધારો
રખડતા ઢોરને લઇ કાયદો પણ લાવવામાં આવ્યો જે બાદમાં રદ કરાયો
આણંદમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. 5 દિવસ બાદ વધુ ત્રણ લોકો રખડતા ઢોરનો શિકાર બન્યા છે.મંગળપુરા વિસ્તારમાં બે મહિલા અને એક પુરૂષ રખડતા ઢોરના અડફેટે લેતા સારવાર અર્થે તેમણે હોસ્પિટલ ખસેડાયા છે.
રખડતા ઢોરના ત્રાસને લઇ જનતા શું ઇચ્છે છે?
રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય
તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને
પાંજરાપોળની પણ સંખ્યા વધારવામાં આવે
પશુઓ માટે પણ અલગ જમીન ફાળવવામાં આવે
પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ
રખડતાં ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તે દૂર થવી જોઇએ
વાહનચાલકોને પડતી મુશ્કેલીનું નિવારણ આવવું જોઇએ
રખડતા ઢોરની સમસ્યાને લઇ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ
જે તે વિસ્તારને લગતા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ
તંત્રએ પશુપાલકોની પણ સમસ્યા સમજી નિવારણ લાવવું જોઇએ
તંત્રનું કામ માત્ર બે-ત્રણ દિવસ દેખાડા પૂરતું જ ન હોવું જોઇએ
તંત્ર દ્વારા રખડતા ઢોરને લઇ સતત કાર્યવાહી કરતું રહેવું જોઇએ
છેલ્લા એક સપ્તાહમાં રખડતાં ઢોરે અનેક લોકોને અડફેટે લીધા
રાજ્યભરમાં અનેક શહેરોમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. મોરબીમાં સરકારી કચેરીઓમાં આખલાઓએ અડિંગો જમાવ્યો છે. જેને લઈ સરકારી કચેરીમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. સરકારી કચેરીમાં સિક્યોરિટી ગાર્ડ રાખવા સ્થાનિકોએ માગ કરી છે. તો જૂનાગઢમાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. જૂનાગઠમાં જાહેર રસ્તાની વચ્ચે બે આખલાનું યુદ્ધ થતા મુરલીધર ગેસ્ટ હાઉસમાં આખલા ઘુસી જતા ટેબલ ખુરસીને નુકસાન પહોંચ્યું હતું. તો બનાસકાંઠાના મેરવાડા ગામ પાસે કારમાં સવાર પરિવરને અચાનક રોડ વચ્ચે આખલો આવી જતા અકસ્મતા થયો હતો. જેમાં કારમાં સવાર મહિલાનું મૃત્યુ થયું હતું ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. કારમાં બેઠેલા 4 વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો છે ત્યારે રખડતા પશુને કારણે એક અઠવાડિયામાં બીજું મૃત્યુ થતા લોકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આમ રાજ્યમાં રખડતી રંજાડની સમસ્યા દિવસેને દિવસે વધતા તંત્રના ઢોર નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થયા છે.
સ્માર્ટસિટી કે 'ઢોરસિટી' અમદાવાદ!
કહેવાતા એવા સ્માર્ટસિટી અમદાવાદમાં પણ રખડતા ઢોરની મોટી સમસ્યાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અમદાવાદમાં જ્યાં જૂઓ ત્યાં રોડ પર પશુઓએ અડિંગો જમાવ્યો છે. રાયપુર વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે AMCની ઢોર પાર્ટી કામ જ નથી કરતી. અમદાવાદ મહાનગરપાલિકાના શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થયા છે. ડ્રાઈવ-ઈન રોડ પર ઢોર રસ્તા વચ્ચે બેસેલા જોવા મળી રહ્યા છે.. અમદાવાદના બાપુનગરમાં પણ જાહેર માર્ગો પર ગાયો તેમજ આખલાઓએ અડિંગો જમાવ્યો છે. જેને લઈ લોકોમાં ભારે રોષ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની લીધા હતા અડફેટે
13 ઓગસ્ટના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણાના કડીમાં ઢોર અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. તો વળી પોરબંદરમાં પણ તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીને પણ રખડતા ઢોરનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં નઘરોળ તંત્ર ઢોર નિયંત્રણના ફક્ત મોટા મોટા દાવાઓ કરે છે પણ વાસ્તવિક્તા તો કંઈક અલગ જ છે.