બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ આગની દુર્ઘટનામાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું SITનું ગઠન, મૃતકો/ઘાયલોને સહાયની જાહેરાત

કાર્યવાહી / રાજકોટ આગની દુર્ઘટનામાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું SITનું ગઠન, મૃતકો/ઘાયલોને સહાયની જાહેરાત

Last Updated: 12:22 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Fire Tragedy: મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે

રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીથી મોતનો આંકડો ચિંતાજનક, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને શોધજો

ક્યારે અટકશે અગ્નિકાંડ ?

રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ મોતની ચિચિયારીઓ ભરી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતાં. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ. જેમાં 24થી વધુ જિંદગીઓ હોમાઈ ગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gamezone Fire Rajkot Fire Tragedy Rajkot Gamezone Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ