મુખ્યમંત્રી આજે મહેસાણાના પ્રવાસે છે ત્યારે મહેસાણાના તરભવાડી ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલની રજતતુલા કરવામાં આવી હતી.
રજત તુલા કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલનું સંબોધન
તમે લિસ્ટ બનાવો કેટલું કામ જોઈએ છે-CM
રબારી સમાજના કર્યા વખાણ
રજતતુલાની તમામ ચાંદી CMએ પરત ત્યાં મંદિર અને શિક્ષણ માટે દાન કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણ રબારી સમાના વખાણ કર્યા હતા.
સમગ્ર ગુજરાત રબારી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી વાળીનાથધામ,તરભ ખાતે સમાજના દાતાશ્રીઓ તથા આગેવાનો દ્વારા આયોજીત રજતતુલા તથા વિશાળ અભિવાદન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી.અપાર પ્રેમ તથા સ્નેહ પ્રગટ કરવા બદલ સમાજની સૌ જનતાનો આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/UnTEctgt6u
ઝઘડો થાય અને ફરી એક થવુ એ રબારી સમાજ પાસે શીખવા જેવું
હવે શિક્ષણ વધશે એટલે કોઈનો ઝઘડો આપડા માથે લેવાનો નહીં થાય
રબારી સમાજ ઉપર પોલીસ કેસ હોય જ નહીં
છેવટે ગાય થઈને ઝઘડો રબારી સમાજ પતાવી દે
રબારી સમાજ પાસેથી આ શીખવા જેવું છે
CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
વાળીનાથ મંદિર દ્વારા યોજાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલાને લઈને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી હતી કે, 50 ટકા રેકટ સંસ્થાના શિક્ષણ માટે અને બાકીના 50 ટકા વાળી મંદિરના નિર્માણ માટે વપરાશે.
કામ પર્સનલ નહીં પણ સમાજના કરાવો : CM
સાથે જ તેમના ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતને નવી ટીમ આપવામાં આવી છે. તેથી નવી આવેલી ટીમમાં તરવરાટ હોય, આવા તરવરાટ સાથે પ્રજાલક્ષી કામો પણ ઝડપથી થતા હોય છે. CMએ લોકોને કહ્યું કે તમે લીસ્ટ બનાવો તમને કયું કામ કરાવવું છે. કામ પર્સનલ નહીં પણ સમાજના કરાવો.
આજે મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ઉદ્ધાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે હિરપુરા બેરજ ની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. આ બેરેજ નિર્માણ થવાથી વિજાપુર તાલુકાના બે અને હિંમતનગર તાલુકાના ચાર મળી કુલ છ ગામોની અંદાજે 3200 હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા મળતી થશે.
PM મોદીના કાર્યકાળને કર્યો યાદ
CM ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી એટલું જ નહિ ઉત્તર ગુજરાત કચ્છ જેવા પાણીની અછત વાળા વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી પહોંચાડી ખેતી માટે પાણી આપીને ખેડૂતને સક્ષમ કર્યો છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કરી અપીલ
ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ખેડૂતોને પૂરતું પાણી મળ્યું છે હવે પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ ઝોક આપી લોકોને રાસાયણિક ખાતર મુક્ત અને વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાક ,અન્ન આપવાની દિશા લેવાની છે.
લોકો આપી દિવાળીની શુભેચ્છા
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આજે મહાવીર ભગવાનને યાદ કરતા કહ્યું કે મહાવીર ભગવાને કહ્યું હતું કે પાણી ઘીની જેમ વાપરજો. સાથેજ તેમણે કહ્યું કે પાણી અને વીજળી બચાવવી એ દેશની સેવા છે ઉપરાંત પેટ્રોલ બચાવશો તે પણ દેશની સેવા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત પર લોકોને કામ કરવા કહ્યુ સાથે તેમણે દિવાળીના તહેવારોની લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
સરકાર નાના માણસોને પડતી મુશ્કેલીઓ નિવારવા સંકલ્પબદ્ધ હોવાની કરી વાત
તેમણે એમ પણ જણાવ્યું કે આ સરકાર ખેડૂતો,ગ્રામીણ લોકો,નાના માં નાના માણસ ને પડતી મુશ્કેલીઓ ત્વરાએ નિવારવા સંકલ્પબદ્ધ છે. આવા લોકોની રજૂઆતોનો ઝડપથી ઉકેલ આવે અને તેમને યોગ્ય મદદ ,સહાય મળે તેવા જનહિત અભિગમથી કર્તવ્ય રત રહેવા તંત્ર વાહકોને તેમણે અનુગ્રહ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ તકે એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોને હમેશા પ્રાથમિકતા આપતી આવીછે અને આપતી રહેવાની પણ છે