પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા.
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને CMની સ્થળ સમીક્ષા મુલાકાત
CM ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત
સ્થળ નિરીક્ષણ કરી કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની કરી ખાતરી
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું નિરીક્ષણ કરવા ખુદ CM ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
વંદે ભારત ટ્રેન કાર્યક્રમ સ્થળની પણ સમીક્ષા કરી
પીએમ મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો ફ્લેગ ઓફ કરાવશે. ત્યારે કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની ખાતરી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલુપુર મેટ્રો સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન કાર્યક્રમ સ્થળની પણ સમીક્ષા કરી.
+
આપને જણાવી દઈએ કે, PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. PM મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
30મીએ અંબાજી મંદિરે દર્શન કરી પીએમ મોદી ગબ્બરે જશે
જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને PM મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. વડાપ્રધાન મોદી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. વડાપ્રઘાન મોદી અમદાવાદથી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.
જાણો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
- PM મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
- 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
- 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
- 29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
- 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
- PM મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
- 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
- વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનમા બેસી કાલુપૂર રેલવે સ્ટેશન જશે PM
- કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
- કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુર થી મોટેરા રુટની શરુઆત કરાવશે
- અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
- અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
- 30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
- અંબાજી મંદીરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી