મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ થતાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારના દરેક યોજના અને નીતિ પર માહિતી આપી છે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ
પ્રદેશ ભાજપની પત્રકાર પરિષદ
મોદી સરકારની સિદ્ધિઓને લઇને માહિતી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી મોદી સરકારીની સિદ્ધીઓ ગણાવી છે. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે મોદી સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચી હોવાનું કહી 2014થી લઈ 2022 સુધીના 8 વર્ષના સરકારના તમામ કાર્યો પર માહિતી આપી હતી.
દેશમાં ઘણા વર્ષો પછી વિકાસના બદલાવની સરકાર જોવા મળી: સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ દરમિયાન CM ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આઠ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રની મોદી સરકારને અભિનંદન પાઠવું છું.કેટલાય વર્ષો પછી દેશમાં સાશન ચલાવનાર અને બદલાવ સરકાર જોવા મળી છે. કિશાન સન્માન નિધિ અંતર્ગત 12 કરોડ ખેડૂતો દર વર્ષે 6 હજાર લાભ મળે છે.
સી.આર.પાટીલે જુઓ શું કહ્યું?
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સિદ્ધીઓ ગણાવતા કહ્યું હતું કે સુસાશનના આઠ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર ધારે તો શુ કરી શકે તે કલ્પના મોદી સરકારે દરેક યોજના જમીની સ્ટાર પર લાગુ કરાવી બતાવ્યું છે. સરકારની તમામ યોજના સફળતા સાથે લોકો સુધી પહોંચાડી, દુનિયાની સૌથી મોટી યોજના આયુષમાન યોજના બની છે જેમાં દેશમા 18 કરોડ લોકોના આયુષ્માન કાર્ડ બનાવવમા આવ્યા, સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિના મૂલ્યે થઈ છે. આજે દેશના દરેક નાગરિકને ફ્રીમાં વેક્સિન આપી, મહામારીમાં પણ ભારત જીત્યું છે,વિશ્વ પણ સ્વીકારે છે. જનધન યોજના હેઠળ 45 લાખ લોકોના ખાતા ખુલ્યા તેમજ 80 કરોડ નાગરિકોને વિના મૂલ્ય અન્ન મળ્યું છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના કારણે 2.5 કરોડ લોકોને લાભ મળ્યો છે.