કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નૂકસાનને પહોંચી વળવા માટેનો એક સહારો પાક વીમા કંપનીઓ છે. ત્યારે પાક વીમાં કંપનીઓ તેમની ટોલ ફ્રી હેલ્પલાઈન બંધ રાખી હતી. જેને પહલે VTVGujarati.comએ ખેડૂતોની ફરિયાદો બાદ રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં વીમા કંપનો ટોલ ફ્રી નંબર બંધ હોવાનું સામે આવ્યું હતું. જે અહેવાલ VTVGujarati.com પર પ્રસારીત કરાયો હતો. જેને પગલે સીએમ વિજય રુપાણીએ કૃષિ વિભાગને વીમા કંપનીઓને ઈ મેઈલ કરી ટોલ ફ્રી નંબર ચાલું કરવા માટે સૂચન કરવા કહ્યું હતું.
ખેડૂતોને કમોસમી વરસાદમાં થયેલાં પાકનાં નુકસાનને પહોંચી વળવા ખેડૂત હેલ્પલાઈનની સુવિધા પુરી પાડવામાં આવી હતી. જેમાં તેઓ પાકને થયેલાં નુકસાન બાબતે અરજી કરી શકે છે. જોકે ટોલ ફ્રી નંબર બંધ હતો. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બીજી તરફ કૃષિ સચિવે 72 કલાકમાં ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.
રૂપાણીએ કૃષિ વિભાગને સૂચના આપી
VTVGujarati.comએ ખેડૂતની આ સમસ્યા અને વીમા કંપનીની બદમાશીનો અહેવાલ પ્રકાશિત કરતાં સીએમ રૂપાણીએ કૃષિ વિભાગને કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમને આદેશ કર્યો છે કે કૃષિ વિભાગ ઈ-મેઈલ કરી વીમા કંપનીને સૂચનાં આપે કે તેઓ તાત્કાલીક ધોરણે ટોલ ફ્રી નંબરની સેવ શરુ કરે.
ખેડૂતોને પડતાં પર ડામ
VTVGujarati.comનાં રિયાલીટી ચેકમાં એ પણ સામે આવ્યું હતું કે રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9.30થી 6.30 સુધી જ કાર્યરત કહે છે. આ દરમિયાન પણ કોઈ ફોન ઉપાડતું નથી. ફોન ઓટો મોડ પર મુકી તમામ કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. આ પરિસ્થિતિ ખેડૂતોને પડતાં પર ડામ આપવાં જેવી છે.
વીમા કંપનીઓ ખેડૂતોને હેરાન કરે છે
બીજી તરફ રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30થી 6:30 સુધી જ કાર્યરત રહે છે. આથી આ સમય દરમ્યાન રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી. આ ફોનને ઓટો મોડ પર મુકીને વીમા કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. જ્યારે કૃષિ સચિવે ખેડૂતોને 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.