રાજસ્થાનમાં રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ગેહલોતે પોતાના પત્રમાં કહ્યું કે મને ખબર નથી કે તમારી જાણકારીમાં આ ષડયંત્રો છે કે નહી, અથવા તો તમને ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે.
અશોક ગેહલોતનો PMને પત્ર
"સરકાર તોડી પાડવાનો કરાયો પ્રયાસ"
"ઈતિહાસ ક્યારેય માફ નહીં કરે"
ઈતિહાસ આવા કૃત્યોમાં ભાગીદાર થનારા લોકોને ક્યારેય માફ નહીં કરે. ગેહલોતે રાજસ્થાન સરકારને અસ્થિર કરવાના પ્રયાસને લઈ કહ્યું કે હોર્સ ટ્રેડિંગથી સરકાર પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
प्रिय श्री @narendramodi जी, मैं आपका ध्यान राज्यों में चुनी हुई सरकारों को लोकतांत्रिक मर्यादाओं के विपरीत हॉर्स ट्रेडिंग के माध्यम से गिराने के लिए किये जा रहे कुत्सित प्रयासों की ओर आकृष्ट करना चाहूंगा।@PMOIndiapic.twitter.com/SQypkHdBBP
લોકોનું રક્ષણ કરવુ એ સૌથી મોટી જવાબદારી હોય છે. પરંતુ રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી, ભાજપ-કોંગ્રેસના મહત્વકાંક્ષીઓ આ ષડયંત્રમાં સામેલ હતા. પરંતુ ઈતિહાસ ષડયંત્રમા ભાગીદાર બનવાવાળાને ક્યારેય માફ નહીં કરે. મને વિશ્વાસ છે કે લોકતાંત્રિક પરંપરાઓ, બંધારણની જીત થશે.
આજે ફરી અશોક ગેહલોતે યોજી બેઠક
સચિન પાયલટ એક તરફ પોતાના ધારાસભ્યને લઈને રાજ્યની બહાર છે ત્યાં બીજી તરફ અશોક ગેહલોતે પણ પોતાનો ગઢ બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. કેટલાક દિવસોથી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યો હોટેલમાં છે જ્યાં આજે પણ સવારે ધારાસભ્યોની બેઠક કરવામાં આવી જેમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેલહોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.