રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, સચિન પાયલટ વગર મંજૂરીએ વિદેશ ચાલ્યા જતા હતા, જોકે કોઇ પણ મંત્રીને વિદેશ જવા માટે પહેલા મુખ્યમંત્રીની મંજૂરી લેવી જરૂરી હોય છે. ગેહલોતે કહ્યું કે દોઢ વર્ષ ઉપ મુખ્યમંત્રી રહેતા પાયલટે ક્યારેય મારી વાત માની નહીં, મનમાની કરી. તેમ છતા પણ મેં તે ધ્યાને ન લીધું.
રાજસ્થાન રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રીનું નિવેદન
પાયલટ હજુ પણ આવી જાય તો ગળે લગાવી લઈશઃ ગેહલોત
તેમની પાસે માત્ર 15-17 ધારાસભ્યઃ ગેહલોત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું હતું કે, એક મંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત તો કરવી જોઇએ, પરંતુ તેમણે એવું ન કર્યું અને તેઓ કહ્યાં વિના જ વિદેશ ચાલ્યા જતા હતા. પરંતુ જો પાયલટ હજુ પણ આવે છે તો તેમને ગલે લગાવીશ. મારો તેમના પરિવાર સાથે 40 વર્ષથી સંબંધ છે. તેમના પિતા સ્વ. રાજેશ પાયલટ અને માં રમા પાયલટ સાથે પણ ઘણા સારા સંબંધ રહ્યા.
તેમની પાસે માત્ર 15-17 ધારાસભ્યઃ ગેહલોત
ગેહલોત કહ્યું કે, જ્યારે હું સ્વ. રાજેશ પાયલટના ઘરે જતો હતો તો સચિન પાયલટ 3 વર્ષના હ તા. મેં તેમને હંમેશા પરિવારના સભ્ય માન્યા. હું 40 વર્ષ પહેલા સાંસદ બન્યા હતા. ગેહલોતે વાતચીતમાં સચિન પાયલટ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના પાસે શું સામાન છે. તેમની પાસે માત્ર 15-17 ધારાસભ્યો છે. આ લોકો હરિયાણા સરકારની મેજબાનીમાં દસ દિવસ સુધી માનેસરમાં બેઠા હતા, પરંતુ શુક્રવારે રાજસ્થાન એસઓજી જેવી ત્યાં પહોંચી તો તેમને હોટલના પાછળના દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા. ગેહલોતે કહ્યું કે, આ પાયલટની સાથે હાજર કેટલાક ધારાસભ્યો પરત આવવા માંગે છે, પરંતુ હરિયાણા પોલીસ તેમને આવવા નથી દઇ રહી. ભાજપ સરકાર તોડવાના પ્રયાસો કરવામાં લાગી છે.
મહત્વનું છે કે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળીને ગેહલોતે બહુમતીનો દાવો કર્યો હતો. સાથે મુખ્યમંત્રીએ 102 ધારાસભ્યોની યાદી સોંપી છે. વિધાનસભાના ગણિત પ્રમાણે કોંગ્રેસ પાસે 100 ધારાસભ્ય છે. જોકે BTPના બે ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.
BTPના બે ધારાસભ્યોનું અશોક ગેહલોતને સમર્થન
રાજસ્થાનમાં BTPએ અશોક ગેહલોત સરકારને સમર્થન આપ્યું હતુ. BTPના ધારાસભ્ય રાજકુમાર રૌત અને રામ પ્રસાદ ડીંડોરે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરીને સમર્થન પત્ર આપ્યું હતું. ફ્લોર ટેસ્ટ થાય તો કોંગ્રેસને સમર્થન આપવાની BTP એ બાંહેધરી આપી હતી. સરકારે BTPની માગ સંતોષતા BTP અશોક ગેહલોતને સમર્થન આપવા તૈયાર થયું હતું. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.
જણાવી દઇએ કે, 200 સભ્યોની વિધાનસભામાં સરકાર માટે 101 ધારાસભ્યનું સમર્થન જરૂરી છે. રાજસ્થાનમાં ભાજપ પાસે 72 ધારાસભ્યો છે. જ્યારે સચિન પાયલટ પાસે કોંગ્રેસના 19 ધારાસભ્યોનું સમર્થન છે. તો અપક્ષ MLAના સમર્થન સાથે પાયલટ પાસે કુલ 23 MLAનું સમર્થન થાય છે. જોકે હાલ ગેહલોત સરકારે 102 ધારાસભ્યો સમર્થનમાં હોવાનો દાવો કર્યો છે.