રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર રાજસ્થાન સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. 34 દિવસ બાદ જૈસલમેર પહોંચેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો નજરકેદમાં જઇ રહ્યા છે, તેમની હવે પોલ ખુલી ગઇ છે.
રાજસ્થાન રાજકીય સંકટ
ભાજપના ધારાસભ્યો નજરકેદ કરવામાં આવી રહ્યા છેઃ ગેહલોત
ભાજપના નેતાઓ અને કોંગ્રેસ છોડનારાઓ વિરૂદ્ધ ગુસ્સો છેઃ ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપના નેતાઓ અને આપણી પાર્ટી છોડી ચૂકેલા લોકો વિરૂદ્ધ દરેક ઘરમાં ગુસ્સો છે. મારુ માનવું છે કે, તેઓ પણ આ સમજે છે અને તેમનાથી વધુ અમારી પાસે પરત આવ્યા. પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે વિચારી શકો છો કે સરકારમાં તો અમે લોકો છીએ, હોર્સ ટ્રેડિંગ થઇ રહી હતી. કોઇ પ્રકારે અમારે ધારાસભ્યોને એકસાથે રોકવા પડ્યા. પરંતુ ભાજપના ધારાસભ્યોને કઇવાતની ચિંતા છે? ત્રણ-ચાર જગ્યા પર તે લોકો નજરકેદ કરી રહ્યા છે, તે પણ વીણી-વીણીને. તેમાં વિખવાદ નજરે આવી રહ્યો છે.
हमारी लड़ाई डेमोक्रेसी को बचाने की लड़ाई है, वो जारी रहेगी। विजय हमारी होगी, विजय सत्य की होगी, विजय प्रदेशवासियों की होगी, विजय उन तमाम विधायकों की होगी चाहे पक्ष में हैं चाहे विपक्ष में हैं, जो चाहते हैं कि सरकारें अस्थिर नहीं होनी चाहिए।
અશોક ગેહલોતે કહ્યું કે, કૈલાશ મેઘવાલે પહેલા નિવેદન આપ્યું હતું. રાજસ્થાનમાં ક્યારેય આ પ્રકારની પરંપરા નથી રહી. સૌને ખબર છે કે વારંવાર કહેતો રહું છું. પહેલા પણ સરકાર તોડી પાડવાને લઇને બે-ત્રણ પ્રયાસ થયા છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની હેસિયતથી ભૈરોસિંહ શેખાવત સાહેબના સમયમાં મે વિરોધ કર્યો હતો. નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતી, ત્યારે પણ વિરોધ કર્યો હતો. તે સમયે બલિરામ ભગત રાજસ્થાનમાં હતા.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલથી જઇને હું મળ્યો. રાજસ્થાનમાં ષડયંત્ર કરીને સરકાર તોડી પાડવાની પરંપરા વિકસિત ન થવી જોઇએ. ભાજપના જે સ્થાનિક નેતા મોટા મોટા દાવા કરી રહ્યા હતા, પરંતુ આજે અને કાલે તેમને પોલ ખુલી ગઇ છે. હવે ભાજપના નેતા ચાર્ટર્ડ પ્લેનથી પોતાના ધારાસભ્યોને બહાર મોકલી રહ્યા છે અને નજરકેદ કરી રહ્યા છે. હું એમ કહેવા માંગુ છું કે આ પરંપરા શરૂ કરવામાં આવી રહી છે, તે લોકતંત્ર માટે ખતરનાક છે.