રાજસ્થાનમાં કરૌલીમાં થયેલી પુજારીની હત્યાને લઈને મુખ્યમંત્રી અશોક ગહેલોતે રવિવારે સીઆઈડી-સીબી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે આની તપાસ સીઆઈડી -સીબી પોલીસ અધિક્ષક વિકાસ શર્માની દેખરેખ હેઠળ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
ભાજપ બે પરિવારની લડાઈને સમુદાયોનો ઝઘડો બનાવી રહી છે- ગહેલોત
વિકાસ શર્માની દેખરેખ હેઠળ કરાવવાના નિર્દેશ આપ્યા
ગહેલોતે રવિવારે સીઆઈડી-સીબી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા
ગહેલોતે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ બે પરિવારની લડાઈને સમુદાયોનો ઝઘડો બનાવી રાજસ્થાનનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના કરૌલીમાં મંદિરના એક પુજારીને 6 લોકોએ મળીને પેટ્રોલ નાંખી જીવતો સળગાવી દીધો હતો. આ બાદ રાજસ્થાનમાં રાજકરાણ ગરમાયું હતુ. દિલ્હીના મોટા મોટા નેતાઓ પુજારીના ઘરે પહોંચ્યા હતા. આ કેસમાં ગહેલોત સરકાર બેકફુટ પર જતી રહી હતી.
આ બાદ ગહેલોત સરકારે કરૌલીમાં પુજારીની હત્યા મામલે પીડિત પરિવારને 10 લાખનું વળતર આપવાનું એલાન કર્યુ હત આ ઉપરાંત પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાનો વાયદો પણ કર્યો હતો. પીડિત પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.5 લાખ રુપિયા આપવામાં આવશે. આ ઘટના બાદ એસએચઓ અને પટવારીને સસ્પેન્ડ કરાયા છે.