નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલના આંદોલનને મમતા બેનર્જી અને એચ.ડી. કુમારાસ્વામીના સમર્થન બાદ હવે શિવસેનાએ પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ અરશવદ કેજરીવાલ સાથે વાતચીત કરી છે.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે અને કેજરીવાલ સાથે વાતચીત થઈ. જેમાં ઉદ્ધવ ઠાકરેએ દિલ્લીમાં કામ કરવા માટે કેજરીવાલને અધિકાર હોવાનું જણાવ્યું.
સાથે જ કહ્યું કે AAP પાસે બહુમત છે. જે કંઈપણ થઈ રહ્યું છે તે લોકતંત્ર માટે યોગ્ય નથી.
મહત્વનું છે કે દિલ્હીમાં રાજ્ય સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈને દિલ્હી હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અમને એ ખ્યાલ નથી આવતો કે આ ધરણા છે કે હડતાળ. ધરણા હોય તો તેની મંજૂરી કોને આપી.
જો આ વ્યક્તિગત નિર્ણય હોય તો ઉપરાજ્યપાલના ઘર બહાર ધરણા યોજાવા જોઈએ. શું ઉપરાજ્યપાલના ઘરની અંદર ધરણા કરવાની મંજૂરી કોણે આપી. આ મામલે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે.