દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ (Arvind Kejriwal)એ શાહીન બાગ (Shaheen Bagh) માં સંશોધિત નાગરિકતા કાયદા (CAA)ની વિરુદ્ધ પ્રદર્શનને લઇને બીજેપીના હુમલા પર પલટવાર કરતા સોમવારે કેન્દ્રની સત્તારુઢ પાર્ટી પર 'ગંદી રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો હુમલો
અરવિન્દ કેજરીવાલે કહ્યું, મને દુ:ખ છે કે ભાજપ આ મુદ્દા પર ગંદી રાજનીતિ કરી રહી છે
કેજરીવાલે કહ્યું, આ દેશની અંદર બંધારણની હેઠળ દરેકને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે
તેઓએ કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને બીજા મંત્રીઓને શાહીન બાગ જવુ જોઇએ અને લોકો સાથે વાતચીત કરીને રસ્તો ખોલાવવો જોઇએ. અરવિન્દ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું, 'મને ખૂબજ દુ:ખ છે કે જે પ્રકારે ભાજપ (BJP) આ મુદ્દા પર ગંદી રાજનીતિ કરી રહી છે. ત્યાં શાહીન બાગ (Shaheen Bagh) માં રસ્તો બંધ છે, એ બંધ રસ્તાને કારણે ઘણા બધા લોકોને તકલીફ થઇ રહી છે, સ્કૂલના બાળકોને તકલીફ થઇ રહી છે, એમ્બુલેન્સને જવામાં તકલીફ થઇ રહી છે, જે અડધો કલાક અથવા 40 મિનિટનો રસ્તો હતો, તેમા લોકોને અઢીથી ત્રણ કલાક લાગી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, હું આ વિશે ઘણી વાર કહી ચૂક્યો છું કે, આ દેશની અંદર બંધારણની હેઠળ દરેકને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ તે વિરોધ પ્રદર્શનને કારણે સામાન્ય જનતાને તકલીફ ન થવી જોઇએ.
शाहीन बाग़ में बंद रास्ते की वजह से लोगों को परेशानी हो रही है। भाजपा नहीं चाहती कि रास्ते खुलें। भाजपा गंदी राजनीति कर रही है। भाजपा के नेताओं को तुरंत शाहीन बाग़ जाकर बात करनी चाहिए और रास्ता खुलवाना चाहिए।
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું, 'ભાજપની સરકાર જેના હેઠળ લૉ એન્ડ ઓર્ડર આવે છે, તે એનુ સમાધાન કેમ લાવી રહી નથી? હાલમાં જ રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, એટલામાં તો તેઓ શાહીન બાગ જઇ આવતા. દિલ્હીની લૉ એન્ડ ઓર્ડરની સમસ્યા પ્રેસ કોન્ફરન્સ કરવાથી નહીં સુધરશે, કામ કરવાથી સુધરશે. અમારી પાસેથી શીખો કામ કેવી રીતે કરવામાં આવે છે. અમને કામ કરતા આવડે છે, તેમને માત્ર પ્રેસ કોન્ફરન્સ અને ગંદી રાજનીતિ કરવાનું આવડે છે.'
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આજે લખીને લઇ લો આ 8 ફેબ્રુઆરી સુધી રસ્તો ખુલશે નહીં, 9 ફેબ્રુઆરીએ ખુલી જશે. શાહીન બાગ (Shaheen Bagh) નો રસ્તો ભાજપ ખોલવા જ નથી માંગતી'.
તેઓએ આગળ કહ્યું, હુ આજે તમામ લોકો દ્વારા અપીલ કરી રહ્યો છું કે ગૃહ મંત્રી અમિત શાહ જીને, પીયૂષ ગોયલ જીને, રવિશંકર પ્રસાદ જીને, જેટલા પણ તેમના મોટા-મોટા નેતા છે, સૌએ જવુ જોઇએ શાહીન બાગ. ત્યાં જઇને તેમની સાથે વાતચીત કરવી જોઇએ અને વાતચીત કરીને રસ્તો ખોલાવવો જોઇએ.
જનતાને કોઇપણ પ્રકારની તકલીફ ન થવી જોઇએ. આ માત્ર ને માત્ર દરેક વસ્તુની ઉપર, દેશની ઉપર, દેશની સુરક્ષાની ઉપર, લોકોની સુવિધાની ઉપર દરેક વસ્તુમાં ગંદી રાજનીતિ કરે છે. તેઓે કહે છે કે, કેજરીવાલ પાસેથી અમને મંજૂરી જોઇએ, તો ચલો મંજૂરી આપી એક કલાકમાં ખોલાવો રસ્તો.