રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સુરક્ષા વિભાગે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે, તેના આધારે એક વર્ષ માટે ગુટખા, પાન મસાલા, તમાકુ કે અન્ય રૂપમાં તમાકુના ઉત્પાદનના નિર્માણ, સ્ટોરેજ કે વિતરણ પ્રતિબંધિત રહેશે.
દિલ્હી સરકારનો મોટો નિર્ણય
વધુ એક વર્ષ માટે લગાવ્યો બૅન
પાન, મસાલા અને ગુટખાને લઈને લીધો મોટો નિર્ણય
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાની વિરુદ્ધમાં લડાઈ હજુ ચાલુ જ છે. કોઈએ થાકવાનું નથી, અટકવાનું નથી પણ સાથે આગળ વધવાનું છે. કોરોનાની લડાઈ એકલા જીતી શકાશે નહીં. ટીમ વર્ક જરૂરી છે. સિધ્ધાંતો સાથે દિવસ રાત કામ કર્યું છે તેનું સારું પરિણામ મળી રહ્યું છે. દિલ્હીની જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સહિતના સહયોગથી આ શક્ય બન્યું છે. દિલ્હીએ આજે કોરોના પર ઘણે અંશે કાબૂ મેળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને મોતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Delhi Government extends bans on manufacture, storage, distribution and sale of gutka, pan masala, for one more year.
દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 1652 નવા દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 118645 થઈ છે. 58 લોકોના મોતની સાથે કોરોનાની મહામારીમાં 3545 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં સતત છઠ્ઠા દિવસે પણ નવા કેસની સંખ્યા 1000થી 2000ની વચ્ચે રહી છે. એક્ટિવ કેસ ઘટીને 17407 થયા છે. દિલ્હીમાં અત્યારસુધીમાં 97693 દર્દીઓ સાજા થયા છે. 23 માર્ચે અહીં 1 દિવસમાં સૌથી વધુ એટલે કે 3947 કેસ આવ્યા હતા.