દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે ત્યારે કેજરીવાલ સરકારે પ્રદૂષણ રોકવા મોટી પહેલ કરી છે. દિલ્હી સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે મેગા સ્કીમ લઇને આવી છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક ગાડીઓ પર મોટી છૂટ આપવાનું એલાન કર્યું છે.
દિલ્હી સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે મેગા સ્કીમ
રાજ્યમાં પ્રદૂષણને રોકવા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ્ય
જાણો ઇલેક્ટ્રિક વાહનો પર કેટલી છૂટ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઇલેક્ટ્રિક વ્હિકલ પૉલિસીનો નૉટિફાઈ કરતા કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રદૂષણને રોકવા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. જાણો અરવિંદ કેજરીવાલે કયા કયા ઇલેક્ટ્રિક વાહનો પર કેટલી છૂટ આપવાનું એલાન કર્યું છે.
કયા વાહન પર કેટલી છૂટ?
બાઈક પર 30 હજારની છૂટ
કાર પર દોઢ લાખની છૂટ
ઑટો પર 30 હજાર સુધીની છૂટ
માલવાહક વાહનો પર 30 હજાર સુધીની છૂટ મળશે
Launching Electric Vehicle Policy, which aims to reduce pollution levels and generate employment in the city Press conference | LIVE https://t.co/2pnr1wbMhj
કેજરીવાલે કહ્યું કે, કેન્દ્રથી મળતી છૂટ સિવાય આ છૂટ મળશે. આ સિવાય સ્કીમમાં સ્ક્રેપિંગ ઇનસેન્ટિવ પણ આપવામાં આવશે. પહેલી વખત આવી છૂટ દેશમાં આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક વર્ષમાં 200 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દર ત્રણ કિલોમીટર પર એક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે બોર્ડ અને ડેડિકેટેડ સેલ પણ બનાવવામાં આવ્યા છે.
દિલ્હીમાં બનશે ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક
મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં બહુ મોટા ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક બનાવવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન બોર્ડ પણ બનાવવામાં આવશે.