દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 290ની પહોંચી ગયા છે.અત્યાર સુધીમાં ઓમિક્રોનનું સંક્રમણ 17 રાજ્યોમાં ફેલાયું છે. ત્યારે કેજરીવાલ સરકારે ઓમિક્રોનના સંક્રમણના પગલે મોટો નિર્ણય લીધો છે.
દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે
ગુજરાતમાં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી
તમિલનાડુમાં એક સાથે 33 નવા કેસ નોધાયા
Delhi | CM Arvind Kejriwal holds a high-level meeting as Delhi reports 64 Omicron cases (as per Ministry of Health and Family Welfare) and to strengthen home isolation managment for COVID19 patients pic.twitter.com/9hjAxgT5jc
દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 64 ઓમિક્રોન કેસો અને કોવિડ19 દર્દીઓ માટે હોમ આઇસોલેશન મેનેજમેન્ટને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કેજરીવાલ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જશે. ગુરુવારે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી
દેશ અને રાજ્યોમાં વધતા ઓમિક્રોન સંકટને પગલે ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋતિકેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનને લઈને મહત્નની ચર્ચાઓ કરવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનની પ્રવર્તમાં સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે. ત્યારે દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારીને રોજ 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવે તેવા મુખ્યમંત્રી દ્વારા નિર્દેશ પણ કરવામં આવ્યા છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરાય તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.
Total cases of #Omicron variant in Tamil Nadu rises to
34: State Health Minister Ma Subramanian
ભારતમા કોરોના વાયરસ નવા વેરિયન્ટને લઈને દેશમાં દિવસેને દિવસે ચિંતા વધી રહી છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં દિવસેને દિવસે ઓમિક્રૉનનાં કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં આ વેરિયન્ટ દેશના કુલ 17 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. ગુરુવારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા કે એક સાથે 33 ઓમિક્રૉન વેરિયન્ટનાં કેસ નોંધાયા છે જેથી દેશમાં કુલ કેસનો આંખ 290 પહોંચી ગયો છે.
આ રાજ્યોમાં ઓમિક્રોનનો ઓછાયો
ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના 236 કેસ નોંધાયા છે, જેમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 'ઓમિક્રોન' વેરિયન્ટના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.