દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા છ અધિકારીઓના પરિવારોને 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદીયાની જાહેરાત
કોરોનામાં શહીદ થયેલા આર્મી અને પોલીસના પરિવારને રાહત
આર્મી અને પોલીસના પરિવારોને આપવામાં આવશે 1-1 કરોડ
દિલ્હી સરકારે રાજધાનીના 6 પરિવારોને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. કોરોનાકાળમાં ફરજ પર જીવ ગુમાવનારા છ સૈન્ય, પોલીસ અને સિવિલ ડિફેન્સ કર્મચારીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયા સહાય આપવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ શનિવારે જાહેરાત કરી હતી.
અત્યારે 6 પરિવારોને અપાઈ આર્થિક મદદ
દિલ્હી સરકારે એવા પોલીસ અને સૈનિકો માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. હજી જે 6 પરિવારોને આર્થિક મદદ કરવામાં આવી છે તેમાંથી 3 એરફોર્સ, 2 દિલ્હી પોલીસ અને એક સિવિલ ડિફેન્સનો જવાન છે.
મુખ્યપ્રધાન બન્યાં બાદ કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, આ યોજના અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન બન્યાં બાદ સૌપ્રથમ જાહેર કરી હતી. 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યાં ત્યારે એવા અહેવાલ વહેતા થયા કે દારૂના માફિયાઓએ એક પોલીસકર્મીની હત્યા કરી દીધી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તરફથી જાહેરાત કરાઈ હતી કે ફરજ પર જીવ ગુમાવનારા પોલીસકર્મીના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ આ યોજના આર્મી, સીઆરપીએફ દિલ્હી પોલીસ પર પર લાગુ થઈ. ત્યારબાદ ઘણાં લોકોને આ યોજના હેઠળ જીવ ગુમાવનારા જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં.