દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે એ લોકોને જ વિજળી સબ્સિડી મળશે, જેઓ તેના માટે અરજી કરશે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે
દિલ્હીમાં હવે ફ્રી વિજળી માટે અરજી કરવાની રહેશે
જેને જોઈતી હશે તેમને જ મળશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. દિલ્હીમાં હવે એ લોકોને જ વિજળી સબ્સિડી મળશે, જેઓ તેના માટે અરજી કરશે. આજથી તેના માટે અરજી શરુ થઈ ગઈ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે, અમુક લોકો ફ્રી વિજળી લેવા નથી માગતા, ત્યારે આવા સમયે વિજળી સબ્સિડી એવા લોકોને જ મળશે, જે હકીકતમાં લેવા માગે છે.
1 ઓક્ટોબરથી લાગૂ થશે સુવિધા
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પહેલા બહું લાઈટ જતી હતી, અમે તેને સુધારી છે. હવે વિજળી 24 કલાક મળી રહી છે. દિલ્હીમાં વિજળી ફ્રીમાં મળી રહી છે. ભ્રષ્ટાચાર રોકીને જે પૈસા બચાવ્યા, તેનાથી લોકોને સુવિધા આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું છે કે, દિલ્હીમાં વિજળીના 58 લાખ ગ્રાહકો છે. તેમાંથી 30 લાખને વિજળી બિલ ઝીરો આવે છે. 17 લાખ ગ્રાહકોને અડધુ બિલ આવે છે. અમે એ લોકોને જ સબ્સિડી આપીશું, જે માગશે. આ સુવિધા 1 ઓક્ટોબરથી લાગૂ રહેશે.
વિજળી બિલ સાથે એક ફોર્મ આવશે. વિજળીના બિલ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવાનું રહેશે. તેમણે કહ્યું કે, અમે એક નંબર (7011311111) જાહેર કરી રહ્યા છે, આ નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પર મેસેજ આવશે. તેમાંથી એક લિંક મળશે. જેમાં વોટ્સએપ પર ફોર્મ ઓપન થશે. જેનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે, તેમને મેસેજ પણ મોકલી શકાશે. 31 ઓક્ટોબર સુધીમાં જેટલા લોકો ફોર્મ ભરી દેશે, તેમને આ યોજનાનો લાભ મળશે. આગામી મહિનામાં ફોર્મ ભરવા પર પાછલા મહિનાનું બિલ જમા કરાવાનું રહેશે. તેમણે કહ્યું કે, તેને લઈને તેમની સરકાર ઘરે જઈને જાગૃતિ અભિયાન પણ ચલાવશે.