અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર લોકડાઉન લગાવવા માંગતી નથી.
પ્રતિબંધો બાદ લોકડાઉનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
દિલ્હી સરકાર લોકડાઉન નથી લગાવવા માંગતી
હોસ્પિટલ ઓછા પડી જાય તો બની શકે કે દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડે- કેજરીવાલ
પ્રતિબંધો બાદ લોકડાઉનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબુ છે. ગત 24 કલાકમાં 10 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. સરકારની સાથે લોકો પણ ચિંતામાં ઘેરાયા છે. તેમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ લોકડાઉનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
દિલ્હી સરકાર લોકડાઉન નથી લગાવવા માંગતી
જો કે કોરોનાને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ખતરનાક લહેર ચાલી રહી છે. દિલ્હી સરકાર લોકડાઉન નથી લગાવવા માંગતી. પરંતુ કાલે મજબૂરીમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આજે જે રિપોર્ટ આવ્યો છે. તેમાં 10732 કેસ 24 કલાકમાં સામે આવ્યા છે. લોકોને અપીલ છે કે ઘરની બહાર ત્યારે જ નીકળો જ્યારે બહું જ જરુરી હોય.
હોસ્પિટલ ઓછા પડી જાય તો બની શકે કે દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડે - કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે હું લોકડાઉનના પક્ષમાં નથી. કોઈ પણ સરકારે લોકડાઉન ત્યારે લગાવવું જોઈએ જ્યારે હોસ્પિટલોની વ્યવસ્થાને કોલેપ્સ થઈ જાય. તમારો સહયોગ જોઈએ. જો દિલ્હીમાં હોસ્પિટલ ઓછા પડી જાય તો બની શકે કે દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડે. અમે કેન્દ્રને અનેક વાર કહ્યું કે જે રસીકરણ પર પ્રતિબંધ લગાવી રાખ્યા છે તે હટાવી દો. તો અમે 3 મહિનાની અંદર તમામ દિલ્હીવાસીઓને રસી લગાવી દઈશું.
દર્દીને સારી સારવાર મળવી જોઈએ
કેજરીવાલે કહ્યુ કે એક તરફ કોરોના ફેલાતો રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જો દર્દીમાં જાય તો તેમને સારી સારવાર મળવી જોઈએ. નવેમ્બર 2020માં પીક 850 મામલાની હતી. પરંતુ હવે આને આ રેકોર્ડને તોડી નાંખ્યો છે.