કોરોનાના વધતા સંકટ વચ્ચે દિલ્હીમાં આજે ફરી એક વખત લોકડાઉન લગાવાયું છે. મુખ્યમંત્રી કેજરીવાલે આ અંગે જાહેરાત પણ કરી છે. મહત્વનું છે કે, દિલ્હીમાં હોસ્પિટલ, બેડ્સ અને ઓક્સિજનની અછત સર્જાઇ છે.
કોરોનાના કહેર વચ્ચે દિલ્હી સરકારનો નિર્ણય
6 દિવસ માટે લગાવાયું લોકડાઉન
અગાઉ લગાવાયો હતો વિકેન્ડ કર્ફ્યુ
દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે.
દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે અમે આંકડા છુપાવ્યા નથી : CM કેજરીવાલ
કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધતા કહ્યું કે, જનતાના સહકાર વગર કોરોનાને રોકવો શક્ય નથી. જનતાનો સહયોગ જરૂરી છે. દિલ્હીમાં 1 લાખથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. હાલ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની અછત આવી રહી છે. દરરોજના 25-25 હજાર દર્દીઓ આવી રહ્યા છે. અમે કોરોનાના આંકડા છુપાવતા નથી.
કેન્દ્ર સરકારથી મળી રહી છે તમામ મદદઃ CM કેજરીવાલ
વધુમાં કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે, અમારી વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર તરફથી અમને મદદ મળી રહી છે. દિલ્હીમાં ઑક્સિજન અને દવા અછત આવી રહી છે. આ તથ્ય ડરાવવા નહીં પરંતુ આ તમામ પરિસ્થિતિ છે. આના પર ચર્ચા કરવા આ પરિસ્થિતિ જણાવી છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.
કડક પગલા નહીં લઇએ તો હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે, ત્રાસદી થશેઃ CM કેજરીવાલ
દિલ્હીમાં કોરોનાની ચોથી વેવ આવી છે. દુનિયાના કેટલાક શહેરોમાં 70 હજાર કેસ આવ્યા તો હચમચી ગયા છે. અમે અમારી વધુ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજે 25 હજાર કેસ આવ્યા છે. અમારૂ હેલ્થ સેન્ટર તણાવમાં છે. હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે. કોઇ પણ હેલ્થ સિસ્ટમની મર્યાદા હોય છે. દિલ્હીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કર્યા છે. મોટા પ્રમાણમાં કામ થયા છે. 25000 ઉપર કેસ પણ તંત્ર ચાલી રહ્યું છે. તેથી જો હજુ સુધી કોઇ કડક નિર્ણય ન લેવાયા તો પરિસ્થિતિ ખુબ જ ગંભીર આવી શકે છે.
લૉકડાઉન નહીં લગાવીએ તો ત્રાસદી થશે, દિલ્હીમાં કેટલાક દિવસનું લૉકડાઉન ખૂબ જરૂરી : CM કેજરીવાલ
વધુમાં તેમણે કહ્યું કે, ગઇકાલે ઓક્સિજન ખતમ થઇ ગઇ હતી. મોટી ત્રાસદી થતા થતા બચી ગઇ. દિલ્હીને ત્રાસદીમાંથી બચાવ્યું છે. મારી અને એલજી સાહેબની મિટિંગ થઇ હતી. તમામ પરિસ્થિતિ પર વિસ્તારથી વાતચીત થઇ છે. આપણે હજુ લોકડાઉન ન લગાવ્યું તો કંઇક એવું ન થાય કે મોટી ત્રાસદી થઇ જાય. આ તમામ પરિસ્થિતિઓને જોતા લોકડાઉન લગાવવું જરૂરી છે.
આ નાનું લૉકડાઉન છે, કોઇ દિલ્હી છોડીને ન જાયઃ CM કેજરીવાલ
આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે. લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ, ફૂડ સર્વિસ ચાલુ રહેશે. લગ્નમાં 50 લોકોને છૂટ આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોના સંકટના કારણે પરિસ્થિતિ હવે બેકાબૂ થઇ ગઇ છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઑક્સિજનની પણ અછત છે. ત્યારે આ જ કારણે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવો પડ્યો છે.
ઑક્સિજન અને રેમડેસિવિરની અછતને લઇને દિલ્હી સરકારે એક્શન લીધા છે. એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જે હેઠળ સપ્લાઈનો ડેટા રાખવામાં આવશે. સરકારે આના માટે નોડલ ઑફિસરની નિમણૂંક કરી દીધી છે.
કોરોનાના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં DRDO દ્વારા સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં હજુ 500 બેડ્સ શરૂ કરાયા છે, જેમાંથી 250 બેડ ભરાઇ ચૂક્યા છે. અહીં ઑક્સિજન સપ્લાઈની સાથો સાથે કંડીશનની પણ સુવિધા છે. અહીં પર બેડ્સની સંખ્યા વધારીને 1000 સુધી કરવામાં આવશે.