ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયા શેર કરીને કોંગ્રેસને મત આપવાને બદલે AAPના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે.
CM અરવિંદ કેજરીવાલની કોંગ્રેસ સમર્થકોને અપીલ
કોંગ્રેસના સમર્થકોને કોંગ્રેસમાં વોટ ન આપવા કરી વિનંતી
કોંગ્રેસના બદલે AAPને વોટ આપવા કરી અપીલ
આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે: કેજરીવાલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે માત્ર એક અઠવાડિયું બાકી છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારોએ જીત માટે એડિચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે. આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયા શેર કરીને કોંગ્રેસ સમર્થકોને અપીલ કરી છે. જેમાં તેમણે કોંગ્રેસને વોટ આપવાને બદલે AAPના ઉમેદવારને વોટ આપવા અપીલ કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 5થી ઓછી બેઠક આવશે: કેજરીવાલ
વીડિયોમાં કેજરીવાલે જણાવ્યું છે કે, 'કોંગ્રેસને વોટ આપવાનો અર્થ વોટ બગાડવો થાય છે. આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની નથી. આ વખતે કોંગ્રેસને 5થી પણ ઓછી બેઠક મળવાની છે. કોંગ્રેસની સીટ પરથી જીત મેળવેલા તમામ ધારાસભ્યો પણ ભાજપમાં જતા રહેશે. આ વખતે આમ આદમી પાર્ટીનો માહોલ છે. જો તમારો મત આમ આદમી પાર્ટીને મળી જાય તો આ આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનશે.'
ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો: અરવિંદ કેજરીવાલ
વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે. જેથી તમે પણ ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો. આમ આદમી પાર્ટીને મત આપો.'
2 તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.