દિલ્હી હિંસાના પીડિતો માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે વળતરની જાહેરાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જેમના મકાન સળગ્યા છે તેમને 25-25 હજાર રોકડ આપવામાં આવશે. આ રકમ શનિવારે બપોરથી આપવામાં આવશે. જેમને પણ મદદની જરૂર છે તેઓ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં કલેક્ટરનો સંપર્ક કરી શકે છે.
દિલ્હી હિંસાના પીડિતોને રાજ્ય સરકારે કરી સહાય
જેના ઘરના બળી ગયા છે તેમને સરકાર આપશે 25 હજારની સહાય
મૃતકના પરિવારજનોને 10 લાખની સહાય
તેમણે કહ્યું કે, અખબારમાં વળતરના ફોર્મ આપવામાં આવી રહ્યા છે. વળતર માટે વ્યક્તિએ પોતે ફોર્મ ભરીને નોર્થ-ઇસ્ટના ડીએમ પાસે જવાનું રહેશે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, પીડિતોને રાહત પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ જેમના ઘટના ખરાબ રીતે બળીને ખાખ થઇ ગયા છે તેમને રેન બસેરામાં રાખવામાં આવી રહ્યા છે.
નાયબ કલેક્ટર જઇ રહ્યા છે લોકોની વચ્ચે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નોર્થ-ઇસ્ટમાં 4 ઉપમંડળ છે. આમ તો 4 SDM હતા પરંતુ હવે ત્યાં અમે 18 SDM નિયુક્ત કર્યા છે. તેઓ પ્રજાની વચ્ચે જઇ રહ્યા છે અને તેમની સાથે વાત કરી રહ્યા છે અને લોકોને ભોજનની વહેંચણી પણ કરી રહ્યા છે.
दंगा प्रभावित लोगों को सहायता पहुँचाने का कार्य पूरी तेज़ी से शुरू कर दिया है pic.twitter.com/sQM21Jj6ME
આ પહેલા મૃતકના પરિવારને 10-10 લાખ આપવાની કેજરીવાલ સરકારે કરી છે જાહેરાત
આ અગાઉ અરવિંદ કેજરીવાલે પણ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વળતરની જાહેરાત કરી હતી. તેમણે મૃતકના પરિવારને 10 લાખ વળતરની પણ જાહેરાત કરી. તે જ સમયે, સગીરના મોત પર, પરિવારને 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, ઘાયલોને 20-20 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. હિંસામાં, જેમની રિક્ષાઓને નુકસાન થયું છે તેમને 25 હજાર, ઇ-રિક્ષાઓને 50 હજાર, જેનું મકાન સળગાવ્યું છે તેમને 5 લાખ આપવામાં આવશે. આ સિવાય દુકાનને બાળી નાખવા પર 5 લાખનું વળતર આપવામાં આવશે.