દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ઉપરાજ્યપાલ અનિલ બેજલ સાથે નારાજગી ફરી એકવાર સામે આવી છે. ઉપરાજ્યપાલની બેઠકને લઈ CM કેજરીવાલે તેમના પર શાબ્દિક હુમલો કર્યો છે.
ઉપરાજ્યપાલ અનિલ બૈજલ માટે નારાજગી વ્યક્ત કરી
કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી
ટ્વિટ કરીને આપી ઉપરાજ્યપાલને આપી આ સલાહ
ઉપરાજ્યપાલ અનિલ બેજલ માટે નારાજગી વ્યક્ત કરી
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ તરફની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ઉપરાજ્યપાલની બેઠકને લઈ અરવિંદ કેજરીવાલ ભડકી ઉઠયા અને ટ્વિટ કરીને કહ્યું કે, "ચૂંટાયેલી સરકારની પાછળ આવી રીતે સમાંતર બેઠક કરવી એ સંવિધાન અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. નાગરિકોએ મંત્રીઓને ચૂંટયા છે, આપણે એક લોકતંત્ર છીએ. જો કોઈ સવાલ હોય તો મંત્રીઓને પૂછો. અધિકારીઓ સાથે સીધી મુલાકાત કરવાથી બચો. લોકતંત્રની ઇજ્જત કરો સર"
It is against Constitution n SC CB judgement to hold such parallel meetings behind the back of elected govt.
We r a democracy. People hv elected a Council of Ministers. If u have any Qs, pl ask ur ministers. Avoid holding direct meetings wid officers
કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી
ખરેખરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ સહિત ઘણા મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે "મુખ્ય સચિવ, ACS, ડિવિઝનલ કમિશ્નર, સચિવ, DMRC, અને અન્ય અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અને ભવિષ્યની તૈયારીઓ લઈને સમીક્ષા કરી"
Reviewed the COVID-19 situation in Delhi and future preparedness with Chief Secretary, ACS (Home&Health), Divisional Commissioner, Secretary (Health), MD-DMRC & other officials concerned. pic.twitter.com/2UKDjNAeJF
2048માં ઓલંપિક માટે બોલી લગાવશે કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે બજેટ સત્રમાં દિલ્હીના દરેક વ્યક્તિની આવક સિંગાપુરના વ્યક્તિ જેટલી કરવા માટેની વાત કરી હતી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે 2048માં અમે ઓલંપિક માટે બોલી પણ લગાવીશું. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે દરેક લક્ષ્યને સરળતાથી નથી મળતું તેના માટે લાંબો સમયગાળો લાગે છે. દિલ્હીમાં 24 કલાક પાણી મળી રહે તે માટે લાંબો સમય નહી લાગે તેવું કેજરીવાલે કહ્યું છે. આવનારા 2 થી 3 વર્ષમાં દિલ્હીના લોકોને 24 કલાક પાણી મળશે. કેજરીવાલે એવું પણ કહ્યું કે છેલ્લા 5 વર્ષના અનુભવથી એ જાણવા મળ્યું કે સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે.