રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ, ગોવામાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.
ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે- કેજરીવાલ
આ કાર્યકારી બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું આજકાલ દેશના ખેડૂતો બહું દુઃખી છે. ગત 25 વર્ષમાં સાડા 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. નવા ખેડૂત બિલથી ખેડૂતોની ખેતી છીનવી ઉદ્યોગપતિઓેને આપવાની તૈયારી છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ હતી. પરંતુ ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે પાર્ટી હિંસા માટે જવાબદાર છે તેમના પર કાર્યવાહી થાય. તેમણે કહ્યું કે ખેડૂતોને સાથ આપવા માટે ઝંડા, દંડા, ટોપી ઘરે મુકી જાવ, એક સામાન્ય નાગરિક બનીને ખેડૂતોને સમર્થન કરો.
70 વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતોને દગો જ આપ્યો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજકાલ આપણા દેશમાં ખેડૂતો બહું દુઃખી છે. 70 વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતોને દગો જ આપ્યો છે. ક્યારેક કહે છે કે ખેડૂતોની લોન માફ કરીશુ, પરંતુ કોઈએ પણ દેવું માફ નથી કર્યુ. ખેડૂતોના બાળકોને નોકરી આપવાનો વાયદો કર્યો પણ કોઈએ નોકરી નથી આપી. ગત 25 વર્ષમાં સાડા 3 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
જે હિંસા થઈ તેનાથી ખેડૂતોના મુદ્દા ખતમ નથી થઈ ગયા
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ હતી. ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. જે પાર્ટી આ માટે જવાબદાર છે તેમના પર કડક પગલા ભરવામાં આવે સજા મળવી જોઈએ. જો કે તે દિવસે જે હિંસા થઈ તેનાથી ખેડૂતોના મુદ્દા ખતમ નથી થઈ ગયા તે મુદ્દા આજે પણ યથાવત છે.