રાજકોટ બાદ Club UV દ્વારા અમદાવાદમાં રાસોત્સવનું આયોજન કરાયું હતું. અમદાવાદના એસ પી રિંગ રોડ પર આવેલા શાન્તમ પાર્ટી પ્લોટમાં રાસોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 6 હજારથી વધુ પાટીદારો ગરબે ઝુમ્યા હતા. આઠમું નોરતું મહાગૌરી મા ઉમિયાના નોરતા તરીકે પુજાતું હોવાથી 1008 દિવાડાઓથી મા ઉમિયાની આરધના કરાઈ હતી.
શું છે Club UV (ઉમાંવશી ક્લબ)
અમદાવાદ અને ગાંધીનગરમાં વસતાં સૌરાષ્ટ્રના કડવા પાટીદાર પરિવારનો ઉત્થાન માટે Club UVની સ્થાપના કરાઈ છે. જેનો મુખ્ય ઉદેશ મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ સુધી પાટીદારો પહોંચડાવાનો એક પ્રયાસ છે. સૌરાષ્ટ્ર ધંધા અને રોજગારી અર્થે અમદાવાદ આવી વસેલાં કડવા પાટીદાર પરિવારો આ ક્લબના સભ્યો છે.