વરસાદની સિઝનમાં વાયરલ ઈન્ફેક્શન થવાનો ખતરો ખૂબ જ વધી જાય છે. એવામાં જો આ સિઝનમાં તમે રોજ લવિંગની ચા પી લેશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકશો. આયુર્વેદમાં પણ લવિંગની ચાના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે.
આ રીતે બનાવો
એક કપ પાણીમાં 4-5 લવિંગ પીસીને નાખો. તેમાં ચપટી ચા પત્તી નાખીને 5-8 મિનિટ ઉકાળો. નવશેકું રહે એટલે પીવો.
શરદી-ખાંસીમાં રાહત- લવિંગની તાસીર ગરમ હોય છે. વરસાદની સિઝનમાં ઠંડક થવા પર લવિંગની ચા પીવાથી શરદી ખાંસી અને તાવ સામે રક્ષણ મળે છે.
પેટને રાખે દુરસ્ત- વરસાદની સિઝનમાં પેટ ખરાબ થવાની પ્રોબ્લેમ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સમયે લવિંગની ચા પેટથી જોડાયેલી સમસ્યા જેમ કે કબજિયાત અને ગેસથી પણ રાહત મળે છે.
દાંતની તકલીફ- દાંતમાં દર્દ હોય ત્યારે લવિંગ અને તેનું તેલ બહુ જ લાભ કરે છે. લવિંગની ચા પીવાથી મોંની અંદરના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને પેઢાં હેલ્ધી બને છે.
ગળાની સમસ્યા- વરસાદની સિઝનમાં કફ અને ગળાની પ્રોબ્લેમ થતી હોય છે. લવિંગની ચા આ ઈન્ફેક્શન દૂર કરે છે અને ગળું સાફ કરે છે.
કેમ છે ફાયદાકારક
- લવિંગમાં પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ આયર્ન મેંગનીઝ ફાયબર આયોડીન વિટામિન K અને C ઓમેગા-3 ફેટી એસિડ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે.
- લવિંગમાં eugenol હોય છે. જે શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે.