આજના સમયમાં વૃદ્ધોની સાથે-સાથે યુવાનો પણ ઝડપથી ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યાં છે. જેનુ મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને ખોટુ ખાનપાન છે. આ એક એવી બિમારી છે, જેને ખત્મ તો ના કરી શકાય. પરંતુ તેને કાબુમાં ફરજીયાત કરી શકાય છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરો લવિંગનો ઉપયોગ
લવિંગનો ઉપયોગ કરતા પહેલા ડૉકટરની સલાહ આવશ્ય લો
ડાયાબિટીસની બિમારી ફટાફટ થશે નિયંત્રિત
બ્લડ શુગરના લેવલને ઘટાડવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
એવામાં જો તમે પણ બ્લડ શુગરના લેવલને ઘટાડવા માગો છો તો દવાઓ સિવાય અમુક ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચાર તમારા ઘરમાં રહેલ લવિંગનો છે, જે તમારા ડાયાબિટીસની બિમારીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તો આવો જાણીએ લવિંગ કેવીરીતે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડૉકટરની સલાહ આવશ્ય લો.
ડાયાબિટીસના દર્દી આ રીતે કરે લવિંગનો ઉપયોગ
ડાયાબિટીસના દર્દી સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 8 થી 10 લવિંગને ઉકાળે.
ત્યારબાદ આ પાણીમાંથી લવિંગને બહાર કાઢી દો.
પછી આ પાણીનુ સેવન કરો.
ડાયાબિટીસના દર્દીઓએ લવિંગનો ઉપયોગ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી કરવો જોઈએ. આમ કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત થઇ શકે છે.