અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન હનુમાન મંદિર નજીક કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં માર્કેટની 20થી વધુ દુકાનો સળગી છે. આ ઘટનાના પગલે 12 જેટલા ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ભીડભંજન હનુમાન મંદિર નજીકની ઘટના
આગમાં 20થી વધુ દુકાનો સળગી
12 ફાયર ફાઈટરની લેવાઈ મદદ
અમદાવાદના બાપુનગર વિસ્તારના ભીડભંજન સામે મોટી કાપડ માર્કેટ આવેલી છે. જે માર્કેટમાં કોઈ કારણોસર આગ લાગી છે. આ આગે ધીરેધીરે મોટું સ્વરૂપ ધારણ કરતા એક બાદ એક એમ 20થી વધુ દુકાનો આગની લપેટમાં આવી ગઇ. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે તાત્કાલિક ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
આ આગની ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે કોઇ જાનહાની પણ થવા પામી નથી.