કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા સરકારે 21 દિવસનું લૉકડાઉનનું એલાન કર્યું છે. આ કારણે ઓટો ઇન્ડસ્ટ્રીની મોટાભાગની કંપનીઓએ પોતાના પ્લાન્ટ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. આમ ઓટો કંપનીઓને રોજનું 2300 કરોડ રૂપિયાનું નુકશાન થવાની આશંકા દર્શાવાઇ રહી છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા સરકારે 21 દિવસનું લૉકડાઉનનું એલાન કર્યું છે
જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોનું 25 ટકા ઓછુ વેતન લેવાનો નિર્ણય
આ આશંકા ઓટો મેન્યુફેક્ચરર્સ કંપનીઓની સંસ્થા સિયામ દ્વારા દર્શાવાઈ છે. સિયામના અધ્યક્ષ રાજન વાઢેરાએ કહ્યું કે અમારા દ્વારા લગાવાયેલા અનુમાન મુજબ વાહન કંપનીઓ અને સ્પેર પાર્ટ્સ મેન્યુફેક્ચરર્સના કારખાનાઓ બંધ થવાથી પ્રત્યેક દિવસે 2,300 કરોડ રૂપિયાનું નુકશાન થશે.
નોંધનીય છે કે મારુતિ સુઝુકી ઇન્ડિયા, હ્યુન્ડઇ, હોન્ડા, મહિન્દ્રા, ટોયોટો કિરલોસ્કર મોટર, ટાટા મોટર્સ, કિયામોટર્સ અને એમજી મોટર ઇન્ડિયાએ પોતાના કારખાનાઓને અસ્થાઇ રીતે બંધ કરી દેવાની જાહેરાત કરી છે.
આ સાથે જ હીરો મોટો કાર્પ, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયા, ટીવીએસ મોટર કંપની, બજાજ આટો, યામાહા અને સુઝુકી મોટરસાઇકલ જેવી ટુ વ્હીલર વાહન નિર્માતા કંપનીઓએ પણ ઉત્પાદન કાર્ય અસ્થાઇ રીતે બંધ કરી દીધું છે. જ્યારે જે કે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય અને વરિષ્ઠ અધિકારી 25 ટકા ઓછુ વેતન લેવાનો નિર્ણય લીધો છે.