વડોદરા-ખેડા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. બ્રિજ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બ્રિજ બધ કરવામાં આવતા વડોદરા સાથે ખેડા જિલ્લાના બે તાલુકાનો સંપર્ક કપાયો છે. મહીસાગર નદીના જળ સ્તરમાં સતત વધારાથી બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. જેને લઈને આગમચેતી પગલા રૂપે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.