વિરલ આચાર્ય એક નહીં, પરંતુ ઘણા મામલામાં એક ગવર્નરના રૂપમાં વિરલ હતા. એમને માત્ર 42 વર્ષની ઉંમરમાં આટલી સીનિયર પોસ્ટ મળી ગઇ હતી. તેઓ નીતિ નિર્મતાઓની વચ્ચે મોંઘવારી પર કડક વલણ અપનાવનારથી પણ જાણીતા હતા. એમને કહ્યું પણ હતું કે તેઓ 'ગરીબોના રઘુરામ રાજન છે'.
વિરલ આચાર્યએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા છ મહિનામાં RBI માંથી રાજીનામું આપનાર આચાર્ય બીજા મોટા પદાધિકારી છે. એમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ છ મહિના પહેલા પદ છોડવાનો નિર્ણય કર્યો. ઉર્જિત પટેલનું જ્યારે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર પદ પર 4 સપ્ટેમ્બર 2016એ પ્રમશોન થયું તો આચાર્યને એમની જગ્યાએ ડેપ્યુટી ગવર્નરનું પદ આપવામાં આવ્યું હતું.
આચાર્યનો ઉર્જિત પટેલ સાથે ખૂબ જ નજીકના સંબંધ હતા, એટલા માટે 10 ડિસેમ્બર 2018 એ જ્યારે ઉર્જિત પટેલે આરબીઆઇ ગવર્નર પદ છોડ્યું તો કેટલાકને લાગ્યું કે કદાચ આચાર્ય પણ રાજીનામાની જાહેરાત કરી દેશે. જો કે એ પદ પર બન્યા રહ્યા.
આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગની ડિગ્રી લેનાર આચાર્યને વર્ષ 1995માં પ્રેસિડેન્ટ મેડલથી સમ્માન કરવામાં આવ્યું હતું. એમને ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી.
આચાર્ય આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરના રૂપમાં 26 ઓક્ટોબર 2018 માં ચર્ચામાં આવી ગયા. જ્યારે એમને આરબીઆઇની સ્વાયત્તાથી સમજૂતી કરાવવાનો આરોપ લગાવતા કેન્દ્ર સરકારને ખૂબ જ સંભળાવ્યું હતું. ત્યારે એમને કહ્યું હતું કે જે સરકાર પોતાના કેન્દ્રીય બેંકોની સ્વાયત્તાનું સમ્માન કરતી નથી, એમને મોડા કે વહેલા નાણાંકીય બજારોના આક્રોશનો સામનો કરવો પડે છે. આચાર્યના આ સંબોધનથી આરબીઆઇ અને સરકારની વચ્ચે સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઇ ગઇ.
જો કે બાદમાં એવી માહિતી મળી હતી કે સરકારે આરબીઆઇના 83 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સેક્શન 7 ના ઉપયોગની ધમકી આપી હતી.
જો કે આચાર્યે પોતાની આગળની શું યોજના છે એની જાહેરાત કરી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે એ પઠન-પાઠનની દુનિયામાં જશે. આરબીઆઇના સૂત્રોનું માનવું છે કે આચાર્યના રાજીનામાનું અમેરિકામાં નવા સત્ર માટે શિક્ષકોની ભરતીઓનો દોર શરૂ થવાની સાથે કંઇક સંબંધ હોઇ શકે છે.
આવી રીતે થાય છે RBI ગવર્નરોની નિયુક્તિ
નોંધનીય છે કે આરબીઆઇના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરોની નિયુક્તિ સીધી સરકાર કરે છે. જો કે ડેપ્યુટી ગવર્નરોની નિયુક્તિમાં ગવર્નરનું મંતવ્ય લઇ શકાય છે. ચાર ડેપ્યુટી ગવર્નરોમાં બે ની પસંદગી આરબીઆઇની અંદરથી થાય છે જ્યારે એક કોઇ કોમર્શિયલ બેંકિંગ સેક્ટરથી લાવવામાં આવે છે અને કોઇ અર્થશાસ્ત્રીને ચોથા ડેપ્યુટી ગવર્નર બનાવવામાં આવે છે.