કોલોરેક્ટલ કેન્સરની એક નવી દવા શોધકર્તાઓને ત્યારે ચોંકાવી દીધા, જ્યારે જાણવા મળ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કેન્સરથી પ્રભાવિત તમામ દર્દીઓમાંથી કેન્સરનો વાયરસ ગાયબ થઈ ગયો હતો.
કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર
ઈતિહાસમાં પ્રથમ વાર બની આ ઘટના
આ દવા 100 અસરકારક સાબિત થઈ
કેન્સર એક એવી જીવલેણ બિમારી છે, જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે અને આ બિમારીની દવા અથવા વેક્સિન શોધવાની કોશિશ છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી છે, પણ હજૂ સુધી સફળતા મળી નથી. પણ હવે, કોલોરેક્ટલ કેન્સરની એક નવી દવા શોધકર્તાઓને ત્યારે ચોંકાવી દીધા, જ્યારે જાણવા મળ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કેન્સરથી પ્રભાવિત તમામ દર્દીઓમાંથી કેન્સરનો વાયરસ ગાયબ થઈ ગયો હતો.
બહું મોટી સફળતા મળી
યુકેમાં એન્ડોમેટ્રાયલ (ગર્ભાશયના આંતરિક પટલનું કેન્સર ) કેન્સરની સારવાર માટે પહેલેથી જ મંજૂર કરાયેલી મોનોક્લોનલ એન્ટિબોડી દવા, ન્યૂ યોર્કમાં મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર ખાતે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અપેક્ષાના તમામ સિમાડા તોડી નાખ્યા હતા. રિપોર્ટ દરમિયાન, હોસ્પિટલમાં દાખલ 18 કેન્સરના દર્દીઓ પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને પરિણામમાં જાણવા મળ્યું હતું કે, દવા આપ્યા પછી, ડૉક્ટરોને 18 દર્દીઓમાંથી 18 દર્દીઓના શરીરમાં કેન્સરના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. જો કે 18 દર્દીઓના આ સેમ્પલનું કદ નાનું છે, પરંતુ તેમ છતાં તેના પરિણામોને આ જીવલેણ રોગની સારવારની દિશામાં બદલાતો ખેલ માનવામાં આવી રહ્યો છે અને આ દવાનો ઉપયોગ કેન્સરની બિમારીની કાયમી સારવાર માટે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ક્યા દર્દીઓ પર થઈ શકે છે ઉપયોગ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, dostarlimab દવાનો ઉપયોગ ફક્ત દશમાં કોલોરેક્ટલ કેન્સરના દર્દીઓ પર કરી શકાય છે. જેમના ટ્યૂમરમાં આનુવંશિક ઉત્પરિવર્તન હોય છે. આ રિસર્ચ પેપરને લખનારા મુખ્ય લેખકોમાં એક ડો. લુઈસ ડિયાઝે કહ્યું કે, મારુ માનવું છે કે, કેન્સરના ઈતિહાસમાં આ પ્રથમ વાર બન્યું છે. તેમણે કહ્યું કે, હકીકતમાં તે રોમાંચક છે. મને લાગે છે કે, આ દર્દીઓ માટે એક સારુ પગલું છે. ડો. ડિયાઝ, જે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય કેન્સર સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું છે કે, આ શોધ માઈલસ્ટોન સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે, શું આ રીત અન્ય કેન્સરના દર્દીઓમાં મદદ કરી શકશે. દર્દીઓને બચાવવા માટે સંભાવનાઓ અત્યંત ઓછી થતીં જાય છે અને ટ્યૂમર એમએમઆરડી થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે હાલમાં ગેસ્ટ્રિક, પ્રોસ્ટેટ અને અગ્નાશયના કેન્સરના દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ.
કઈ રીતે કરવામાં આવ્યું ક્લિનિકલ ટ્રાયલ
ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 18 દર્દીઓની કોલોરેક્ટલ કેન્સર છેલ્લા કેટલાય દિવસથી સારવારમાંથી પસાર થવું પડ્યું હતું. જેમાં કીમોથેરેપી અને જોખમ ભરેલી સર્જરીઓ પણ થઈ હતી. અધ્યયનમાં નામાંકિત દર્દીઓને છ મહિના માટે દર અઠવાડીયે મોનોક્લોનલ એન્ટીબોડી સારવાર આપવામાં આવતી હતી. જે બાદ શોધકર્તાઓએ 12 મહિના બાદ દર્દીઓનું સતત મોનિટરીંગ કર્યું અને પછી ટેસ્ટ દરમિયાન ખબર પડી કે તેમના શરીરમાંથી કેન્સરના વાયરસ ગાયબ થઈ ગયા હતા. ડોક્ટર્સે ઘણી વાર દર્દીઓને અલગ અલગ રીતે સ્કેનિંગ કર્યું અને તેમનો ટેસ્ટ કર્યો, પણ ડોક્ટર્સને કેન્સરના વાયરસ ક્યાંય મળ્યા નહીં.
આ દવાની કિંમત કેટલી છે ?
એક અહેવાલ મુજબ, યુએસમાં ( dostarlimab ) ડોસ્ટારલિમાબની કિંમત લગભગ 11,000 ડોલર એટલે કે 500mg દીઠ લગભગ 8 લાખ 80 હજાર રૂપિયા છે. જ્યારે, યુનાઇટેડ કિંગડમમાં દવાની કિંમત પ્રતિ ડોઝ £5,887 છે, યુકેમાં, તે વેચાય છે. જો કે, NHS એ યુએસ ટ્રાયલને સ્પોન્સર કરનાર ઉત્પાદક ગ્લેક્સોસ્મિથક્લાઇન (GSK) સાથે એડવાન્સ એન્ડોમેટ્રાયલ કેન્સરની સારવાર માટે માફી માટે સંમત થયા છે. દર વર્ષે લગભગ 100 અદ્યતન એન્ડોમેટ્રાયલ કેન્સરના દર્દીઓને ડોસ્ટારલિમાબનું સંચાલન કરવામાં આવે છે. જીવનરક્ષક દવાઓનો હેતુ તેમના જીવનની ગુણવત્તા સુધારવા અને કીમોથેરાપીને ટાળવાનો છે, જેની વધુ આડ અસરો હોય છે, જ્યારે મર્યાદિત લાભો હોય છે.
દર્દીઓએ શું કરવું જોઈએ
ડો. ડિયાઝે કહ્યું કે, અમારો મેસેજ છે, જો આપને રેક્ટસ કેન્સર છે, તો તપાસ કરાવો કે ટ્યૂમર એમએમઆરડી છે કે નહીં. કોઈ ફરક નથી પડતો કે, કેન્સર ક્યા સ્ટેજમાં છે. અમારી પાસે મેમોરિયલ સ્લોન કેટરિંગમાં એક ટેસ્ટ છે. જે આપની મદદ કરી શકશે. અને એમએસકેની પાસે એક વિશેષ નિપુણતા છે, જે હકીકતમાં કામમાં આવે છે.ન્યૂ ઈંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત અધ્યયનમાં સંશોધનકર્તાઓ લખ્યું છે કે, આ રિપોર્ટના સમય, કોઈ પણ દર્દીને કીમોરેડિયોથેરેપી અથવા સર્જરી થઈ નથી, અને ફોલો અપ દરમિયાન ફરીથી કેન્સરમાં સપડાયા હોવાનું પણ સામે આવ્યું નથી.