જો તમે ઓછાં સમયમાં આખા બોડી મસલ્સની એક્સરલાઈઝ કરવા માગતા હો તો સીડીઓ ચઢ-ઉતર કરવી એક બેસ્ટ ઓપ્શન છે. એક સર્વેમાં આ વાત જાણવા મળી છે કે 1 કલાક જિમમાં પરસેવો પાડવાથી તમને એટલા જ ફાયદા મળે છે જેટલા 15 મિનિટ સીડી ચઢવાથી મળે છે. રોજ એક માળ સીડી ચઢીને ઘર કે ઓફિસમાં જઈએ છીએ તો તે અડધો કિલોમીટર ટ્રેડમિલ પર ચાલવા બરાબર છે. જો તમે 2-3 વાર સીડીઓ ચઢ-ઉતર કરો તો તમારે જિમ જવાની જરૂર નહીં પડે.
રોજ ઘર કે ઓફિસમાં 2-3 વાર સીડીઓ ચઢ-ઉતર કરવી બેસ્ટ કસરત છે
સીડીઓ ચઢવાથી શરીરને તરત એનર્જી મળે છે
સીડીઓ ચઢવાથી બોડીમાં adrenaline હોર્મોન એક્ટિવ થાય છે
ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે
સીડીઓ ચઢવાથી શરીરને તરત એનર્જી મળે છે. જે જિમમાં 5-7 મિનિટ એક્સરસાઈઝ કર્યા બાદ મળે છે. એ પણ તમે જ્યારે હાઈ સ્પીડમાં એક્સરસાઈઝ કરો. એટલું જ નહીં સીડીઓ ચઢવી હાર્ટ અને લંગ્સ માટે પણ ફાયદાકારક છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. રોહિત કહે છે કે સીડીઓ ચઢવી નેચરલ એક્સરસાઈઝ છે. જો તમે રોજ આ એક્સરસાઈઝ કરો બોડી અને જાંઘ શેપમાં આવે છે અને મસલ્સ પણ ફ્લેક્સિબલ બને છે. ઓવરઓલ ફિટનેસ માટે પણ સીડીઓ ચઢવી ઉત્તમ એક્સરસાઈઝ છે. તેનાથી સાંધાઓ અને હાડકાંઓના દુખાવાથી પણ રાહત મળે છે.
હોર્મોન્સને કરે છે એક્ટિવ
સીડીઓ ચઢવાથી બોડીમાં adrenaline હોર્મોન એક્ટિવ થાય છે. આ હોર્મોન હાર્ટના મસલ્સ સુધી બ્લડ સર્ક્યુલેશન જાળવી રાખવામાં અને હાર્ટ બીટ નોર્મલ રાખવા માટે બહુ જ જરૂરી છે.
મસલ્સ ટોન્ડ થાય છે
સીડીઓ ચઢવા પર બોડીનો 70-85 ડિગ્રી એંગલ બને છે. તો આ પોશ્ચર લોઅર બોડી માટે અને 135 ડિગ્રી અપર બોડી માટે બહુ જ ફાયદાકારક છે. આ એક કારગર કાર્ડિયો વર્કઆઉટ પમ છે. એક કલાકમાં સીડી ચઢ-ઉતર કરીને 700 કેલરી બર્ન કરી શકાય છે. જ્યારે ટ્રેડમિલ પર એક કલાક દોડવાથી માત્ર 300 કેલરી જ બર્ન થાય છે.
મેન્ટલ હેલ્થ
સીડીઓ ચઢવાથી મસલ્સમાં એક્સ્ટ્રા ફેટ જમા થતો નથી અને શરીર શેપમાં રહે છે. સાથે જ તેનાથી વ્યક્તિમાં એકાગ્રતા પણ વધે છે. રેગ્યુલર આ એક્સરસાઈઝ કરવાથી મેન્ટલ હેલ્થને પણ સપોર્ટ મળે છે. અને રોજિંદા કામ કરવા માટે ફોકસ કરવામાં પણ મદદ મળે છે.
રૂટીનમાં કરો સામેલ
ઘણીવાર લોકો પહેલાં જ દિવસથી વધુ પ્રમાણમાં સીડીઓ ચઢ-ઉતર કરે છે. જેનાથી થાક અને પગમાં દુખાવો પણ થાય છે. જેથી એક દિવસમાં 3-4 માળ સીડી ચઢવાની જગ્યાએ ધીરે-ધીરે 1-1 માળ વધારો. ત્યારે જ તેનાથી ફાયદો થશે. પણ સાથે જ તેને નિયમિત કરવું પણ જરૂરી છે. 15 દિવસ કે 1 મહિનો તેને કરીને છોડી દેશો તો તેના ફાયદા મળશે નહીં.
12થી 70 વર્ષની ઉંમર સુધી કરી શકાય
આ એક્સરસાઈઝ 12થી 70 વર્ષની ઉંમર સુધીના લોકો કરી શકે છે. તેમાં વ્યક્તિએ પોતાની એનર્જી લેવલનો ઉપયોગ કરવાનું હોય છે. તેના માટે કોઈ જ ખર્ચ કે ઉપકરણની જરૂર પડતી નથી. હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીસના પેશન્ટ પણ આ એક્સરસાઈઝ સરળતાથી કરી શકે છે. જોકે હાર્ટ પેશન્ટને એક્સરસાઈઝ ન કરવાની સલાહ આપવામાં આવે છે. પણ નિષ્ણાંતની સલાહથી ધીરે-ધીરે તેઓ પણ આ એક્સરસાઈઝ કરી શકે છે.