વલસાડના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. જિલ્લાના ધનોરી અને આસપાસના વિસ્તારોમાં વારસાદી ઝાપટું પડ્યું છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે. તો આ તરફ કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે.
નવસારીના ખેરગામમાં વરસાદી ઝાપટાં
નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. તો વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. ઠંડક પ્રસરી ગઈ છે. તો સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે.
નર્મદામાં વવાઝોડામા લગ્નનો મંડપ ઉડ્યો
તો નર્મદાના જિયોરપાટી ગામે અચાનક વાવાઝોડું આવ્યુ હતુ. ત્યારે આ વાવાઝોડામાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. લગ્નનો જમણવાર ચાલતો હતો તે દરમિયાન વાવાઝોડુ આવ્યુ હતું. આથી જમણવારમાં મંડપ લોકો પર પડ્યો હતો. જેમાં નાસભાગ થતા બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી તારીખ 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનની ગતિ 30 થી 40 પ્રતિ કલાકની રહેશે. તો રાજ્યમાં 3 દિવસ સુધી ઠંડકનો અહેસાસ થશે. આ ઉપરાંત વીજળીના ચમકારા સાથે 10મીએ રાજ્યના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની પણ આગાહી કરી છે.