વૈશ્વિક તાપમાનમાં વધારાને લઇને વધુ એક ચેતવણી જારી કરાઇ છે. એક સંશોધનમાં કહેવાયું છે કે જો દુનિયાનું તાપમાન હાલ કરતાં વધે છે તો વર્ષ ર૧૦૦ સુધી વિશ્વના અડધા હેરિટેજ ગ્લેશિયર પીગળી જશે. તેના કારણે પીવાનાં પાણીનું સંકટ ઊભું થશે.
વૈશ્વિક તાપમાનમાં વધારાને લઇને વધુ એક ચેતવણી જારી કરાઇ છે. એક સંશોધનમાં કહેવાયું છે કે જો દુનિયાનું તાપમાન હાલ કરતાં વધે છે તો વર્ષ ર૧૦૦ સુધી વિશ્વના અડધા હેરિટેજ ગ્લેશિયર પીગળી જશે. તેના કારણે પીવાનાં પાણીનું સંકટ ઊભું થશે. સમુદ્રનું જળસ્તર વધશે અને મોસમનાં ચક્રમાં પણ પરિવર્તન આવશે.
આ સમસ્યાના કારણે હિમાલયનું ખૂંભું ગ્લેશિયર પણ ખતમ થઇ જશે. આ અભ્યાસ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઇયુસીએનએ કર્યો છે. હેરિટેજ ગ્લેશિયરને લઇએ આ દુનિયાનું પહેલું સંશોધન માનવામાં આવે છે.
રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સ્વિટ્ઝર્લેન્ડના જાણીતા ગ્રોસર એલ્વેસ્ટર અને ગ્રીનલેન્ડના જેકબશાવન આઇબ્રેશ પણ ખતરાના દાયરામાં આવે છે. અભ્યાસ માટે ગ્લોબલ ગ્લેશિયર ઇન્વેન્ટરી ડેટા ઉપરાંત કમ્પ્યૂટર મોડલની પણ મદદ લેવાઇ છે. તેના દ્વારા વર્તમાન સ્થિતિનું આકલન કરાયું છે.
સંશોધન પત્રમાં કહેવાયું છે કે જો તાપમાન વૃદ્ધિ અને કાર્બન ઉત્સર્જન હાલના દરથી થતો રહેશે તો વર્ષ ર૧૦૦ સુધી ૪૬ પ્રાકૃતિક ગ્લેશિયરોમાંથી ર૧ હેરિટેજ ખતમ થઇ જશે. તો તેમાંથી આઠને બચાવવા મુશ્કેલ હશે. સંશોધનનું નેતૃત્વ કરનાર વિજ્ઞાની પીટર શેડીએ કહ્યું કે આ ગ્લેશિયર્સને ગુમાવવા કોઇ દુર્ઘટનાથી ઓછું નહીં હોય. તેની અસર સીધી પીવાના પાણીનાં સંસાધનો પર પડશે.
સમુદ્રી જળસ્તરમાં વૃદ્ધિ થશે અને મોસમ ચક્ર પર પણ તેની અસર સ્પષ્ટ જોઇ શકાશે. હવે દુનિયાભરની સરકારોએ ચેતી જવું જોઇએ કેમકે આવનારી પેઢીઓ માટે આ ગ્લેશિયરોનું રહેવું અત્યંત જરૂરી છે.