ધૂળેટી રમ્યા બાદ ત્વચા ડ્રાય થઇ જાય છે. ત્વતા બેજાન અને ડલ લાગે છે. તેવામાં જો તમે તમારા ચહેરા પર પહેલા જેવો નિખાર ઇચ્છો છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય..
કેમિકલ રંગો બાદ ત્વચા પર એલોવેરા દ્વારા લાવો નિખાર
મસાજ કરવાથી સ્કિનનું બ્લડ સર્ક્યુલેશન વધારે સારુ થાય છે
દૂધ ત્વચાને અંદરથી ક્લિન કરીને ગ્લો આપે છે
તાજેતરમાં જ હોળી-ધૂળેટીનો તહેવાર ગયો છે. જેમાં દરેક લોકો રંગોના રંગે રંગાય છે, પરંતુ ઘણી વખત આ રંગો ત્વચા પર ગાઢો રંગ છોડી જાય છે. સ્કિન ડ્રાય અને બેજાન બને છે. કેમિકલ યુક્ત રંગોના ઉપયોગથી ચહેરા ડલ દેખાવા લાગે છે, અને નિખાર તો ખોવાઇ જ જાય છે. પિંપલ, રેશિશ જેવી મુશ્કેલીઓ થવાની પણ સંભાવના વધી જાય છે. તેવામાં જો તમે બધી પરેશાનીઓથી બચી શકાય છે. તો આવો આ હોળીના રંગોથી છુટકારો મેળવવા અને ચહેરા પર ગ્લો લાવવા માટે આ ફેસ પેક જરુરથી ટ્રાય કરો.
બરફનો ટુકડો લગાવોઃ હોળી બાદ સ્કિનની સંભાળ કરવા માટે તમે બરફનો ટુકડો ઉપયોગ કરી શકો છો. સ્કીનપર બરફનો ટુકડાથી હળવા હાથે મસાજ કરવાથી સ્કિનનું બ્લડ સર્ક્યુલેશન વધારે સારુ થાય છે અને સ્કિન ગ્લો કરે છે.
દૂધ લગાવોઃ સ્કિનની સંભાળ લેવા માટે તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. દૂધ ત્વચાને અંદરથી ક્લિન કરે છે. તેમાં હાજર ફૈટી એસિડ અને લેક્ટિક એસિડ ત્વચા માટે બહુ ફાયદાકારક હોય છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમે કાચા દૂધનો ઉપયોગ કરે અને જો ત્વચા ઓઇલી છે તો તમે ગરમ કરીને ઠંડા કરેલા દૂધનો ઉપયોગ કરો.
દહીં અને મધનો ફેસ પેકઃ દહીં અને મધનું મિશ્રણમાં એક ચપટી હળદર પાઉડર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ હાથ ભીના કરી હળવા હાથે ચહેરા પર મસાજ કરતા કરતા વોશ કરો. તમારી સ્કિન પર ગ્લો જોવા મળશે.
એલોવેરા જેલ લગાવોઃ એલોવેરા જેલ સ્કિન કેર માટે બેસ્ટ છે. એલોવેરા ત્વાચાને મોઇશ્ચ્યુરાઇઝ કરે છે અને નિખાર આપે છે. તમે પાણીથી ચહેરો ધોયા બાદ ડાયરેક્ટ એલોવેરા જેલ પણ લગાવી શકો છો, અથવા તેમાં મધ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. આનાથી ચહેરાની ત્વચા પર ગ્લો આવશે અને સ્કિન સોફ્ટ લાગશે.
પપૈયુ અને એલોવેરાનો ફેસ પેકઃ જો તમે પપૈયુ અને એલોવેરા જેલનું ફેસપેક લગાવી શકો તો તે બેસ્ટ છે. આ પેક લગાવા માટે એક વાટકીમાં અડધો કપ ક્રશ કરેલુ પપૈયુ લો, તેમાં બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરો, આ મિશ્રણને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. ત્યાર બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. આ ઉપાયથી ત્વચા પર નિખાર આવશે.