કોરોના વાયરસને લઈને ગાંધીનગર તંત્ર એલર્ટ છે. જનતા કર્ફ્યૂ વચ્ચે ગાંધીનગર ST ડેપોની સફાઈ કરવામાં આવી છે. હાલ પથિકાશ્રમને સેનેટાઈઝિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી અને જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તંત્ર દ્વારા તમામ બસની સફાઇ કરવામાં આવી રહી છે.