છેલ્લા દોઢ વર્ષથી બંધ ધોરણ-1થી 5નું શિક્ષણકાર્ય આજે ફરી શરૂ થતા શાળાઓમાં બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે.
આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ
2 વર્ષ બાદ શાળાઓમાં બાળકોનો કલરવ
સેનેટાઇઝર સહિતની કરાઇ વ્યવસ્થા
છેલ્લા દોઢ વર્ષથી બંધ ધોરણ-1થી 5નું શિક્ષણકાર્ય આજે ફરી શરૂ થતા શાળાઓમાં બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ ફેલાવાના કારણે સરકારે પ્રાથમિક શાળાને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો જે બાદ હવે લાંબા ગાળા બાદ રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે હવે શાળાઓ બાળકોનો કિલ્લોર જોવા મળી રહ્યો છે..
આજથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ
સરકાર અગાઉ ધો.6થી 12ની ધોરણને મંજૂરી આપી હતી.. પરતું રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે કેટલાક વર્ગો ઓનલાઈન ચલાવવામાં આવતા હતા. જોકે હવે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે ત્યારે સરકારે સાથે ધો.1થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપી છે. આજથી બાળકોમાં શાળા જવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે દિવાળી વેકેશન ખુલતાના પહેલા જ દિવસે મોટાભાગની શાળાઓ અભ્યાસ શરૂ કરશે નહીં.
2 વર્ષ બાદ શાળાઓમાં બાળકોનો કલરવ
ધો.1થી 5ના વર્ગો શરૂ થયા બાદ બાળકોને સ્કૂલે આવવાની ટેવ પાડવા અને સ્કૂલના વાતાવરણ સાથે સેટ થવા માટે સંચાલકો શરૂઆતમાં બે કલાકનો જ અભ્યાસ કરાવશે. હવે લાંબા સમય બાદ જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે. પરંતુ વાલીઓને સૌથી મોટી ચિંતા બાળકોની સુરક્ષાની છે. કારણ કે મોટા બાળકો પોતાની રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શકે છે. પરંતુ નાના બાળકોની સુરક્ષાને લઇને સ્કૂલ સંચાલકો તૈયારી કરશે કે નહીં,
SOPના પાલન સાથે સ્કૂલો શરૂ કરવાની મંજૂરી
આજથી ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું કે કોરોનામાં દોઢ વર્ષ બાદ ધોરણ-1થી 5નું શિક્ષણ સ્કૂલમાં શરૂ થશે. આજથી ધોરણ-1થી 5નું શિક્ષણ શાળામાં શરૂ થશે. જેમાં સુરક્ષા અને તકેદારીના ભાગ રૂપે કોરોના SOPનું શાળાઓમાં ચુસ્ત પણે પાલન કરવું રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ માંગ હતી તેને લઇ નિર્ણય કરાયો છે અને હાલ મોટા ભાગના લોકોએ પણ વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે.
સ્કૂલમાં સેનેટાઇઝર સહિતની કરાઇ વ્યવસ્થા
ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહે કહ્યું કે રાજ્ય સરકારનો નિર્ણય જોખમી પગલું છે. કોઇ બાળક સંક્રમિત થશે તો તેની જવાબદારી શિક્ષણમંત્રીની હશે. સરકાર સ્કૂલો શરૂ કરે તે પહેલા ગુજરાત બોર્ડ કોર્સ નક્કી કરે. સરકારે સ્કૂલોના દબાણથી આ નિર્ણય કર્યો છે.