પંજાબના લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેલમાં પહેલાં કેદીઓના બે જૂથ વચ્ચે અને પછી પોલીસ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ વણસતા પોલીસે હવાઈમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કેટલાક કેદીઓને ઈજા પણ પહોંચી હતી
Punjab: Clash breaks out at Ludhiana Central Jail. Police forces have been deployed inside the premises. Fire brigade also present at the spot as fire has reportedly broken out there. 4 prisoners who had broken out of the jail have been brought back by police.More details awaited pic.twitter.com/RdD3IMv1LQ
તો વળી આ ઘટના વચ્ચે કેટલાક કેદીએ જેલમાંથી ભાગવામાંથી સફળ રહ્યા હતા પરંતુ પોલીસે ટૂંકા સમયગાળામાં તેમની ધરપકડ કરી હતી. જો કે, હજી સુધી આ ઝઘડા પાછળનું ચોકક્સ કારણ જાણી શકાયું નથી.
નોંધનીય છે કે, આ પહેલા પંજાબની પટિયાલાની નાભા જેલમાં સિરસાના ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ તથા ગુરુ ગ્રંથ સાહિબથી બેઅદબીના આરોપી મોહિંદરપાલ બિટ્ટુની હત્યા બાદ જેલ પ્રશાસન દ્વારા સવાલો ઉઠવા પામ્યા છે.
સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગતો મુજબ, એક કેદીનું ફાયરિંગમાં મોત થયું હતું જો કે, સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ DC એ કહ્યું કે, કેદીનું મોત ફાયરિંગથી નહીં નેચરલ છે. જેન લઇને કેદીઓ ભડક્યા હતા અને ત્યારબાદ પોલીસ તથા કેદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.