સુરેન્દ્રનગર: પાટડીના ઝેઝરી ગામે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે અથડામણ, અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર લઈ આવી ગયા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું તો ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા
સુરેન્દ્રનગરમાં ઝેઝરી ગામે બે જૂથો વચ્ચે ઘર્ષણ
અજાણ્યા શખ્સોએ 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું
પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ
સુરેન્દ્રનગરમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, પાટડી તાલુકાના ઝેઝરી ગામે અંગત અદાવાદમાં એક જ્ઞાતિના બે જુથના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું જેમાં ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઝેઝરી ગામે જૂથ અથડામણની ઘટના
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ઝેઝરી ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી. ઝેઝરી ગામ 10થી વધુ અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર લઈને આવી ગયા હતા. અગાઉની તકરાર કે અંગત અગાવતને ધ્યાનમાં રાખીને આ શખ્સો એ ગામમાં આતંક મચાવ્યો હતો.ગામમાં અન્ય જૂથના લોકો પણ વળતા જવામમાં હુમલો કર્યો જેમાં ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચી છે.એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી તકરારમાં 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું, કેટલાક શખ્સો તમંચા, રિવોલ્વર લઈને આવતા તેમના દ્વારા ફાયરિંગ કરવામં આવ્યું હતું ગામમાં આતંક મચાવના ઈસમો બાદમાં ફરાર થઈ ગયા હતા..જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અસામાજીક તત્વો અને હથિયાર લઈને આવેલા લોકોની તપાસ હાથ ધરી હતી.
અજાણ્યા શખ્સોએ 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું
ઘટનાને પગલે ઝેઝરી ગામમાં ખુલ્લેઆમ આતંક મચાવનાર અસામાજીક તત્વોને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં સર્જાયેલી જુથ અથડામણમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરતું ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તીક્ષ્ણ હથિયારો, તમંચા, રિવોલ્વર સાથે આવેલા આ લોકોને લઈને ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ગામમાં મહિલાઓ અને બાળકોને ગામની બહાર ન નીકળવાનું જણાવાયું છે, સમગ્ર મામલે પોલીસમાં જાણ કરાવમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
મહત્વનું છે હાલ કોરોના કાળમાં પોલીસ દ્વારા રાત્રી કરર્ફ્યૂ કરવામાં આવ્યું છે, ગામડાઓ અને શહેરમાં કોરોનાને પગલે પોલીસ રાત્રીના સમયમાં પેટ્રોલીંગ પણ કરતી હોય છે ત્યારે તિક્ષ્ણ હથિયાર, તમંચા-રિવોલ્વર લઈને આવેલા શખ્સો ગામમાં અંધાધૂધ ફાયરિંગ કરે છે અને આતંક મચાવે છે ક્યારે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, આગામી સમયમાં પોલીસ આતંક મચાવનાર આવા અસામાજીક તત્વો સામે કેવી કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું ?