ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર હુમલો કર્યો હતો. કાર્યકરોએ સામસામે દંડાવાળી અને પથ્થરબાજી પણ કરી હતી.
વડોદરામાં ચૂંટણીપ્રચાર દરમિયાન ઘર્ષણ
ભાજપ-કોંગ્રેસના કાર્યકરોનો એકબીજા પર હુમલો
કાર્યકરોએ સામસામે દંડાવાળી અને પથ્થરમારો કર્યો
વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર હુમલો કર્યો હતો. કાર્યકરોએ સામસામે દંડાવાળી અને પથ્થરબાજી પણ કરી હતી. જો કે, આ પ્રકારની ઘટન કોઈ પહેલી નથી. અગાઉ પણ નેતાઓ આમને-સામને આવી ગયા છે. તો બીજી તરફ ટિકિટની જાહેરાત સમયે પણ નારાજ નેતાઓ દ્વારા તોડફોડ કરવામાં આવતી હતી. જેને લઈ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓએ કેટલાક ઉમેદવારોની યાદી જાહેર જ કરી નહોતી.
ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પદર્શન કરી રહી છે.