જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલ હૈદરપુરામાં સેના અને આતંકીઓ વચ્ચે આજ અથડામણ થઈ જેમા સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા છે. જેમા સમગ્ર મામલે કાશ્મીર પોલીસ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે એક અજ્ઞાત આંતકીને અથડામણમાં ઠાર કરવામા આવ્યો છે.
ગુરુવારે 3 આતંકીઓને ઠાર કરાયા હતા
અગાઉ ગુરુવારે પણ સેના દ્વારા 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં આતંકીઓની હલચલ વધી ગઈ છે. જેથી સેના પણ હવે એકશ ન મોડમાં આવી ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સેના દ્વારા 130 કરતા પણ વધું આતંકીઓને ઠાર કર્યા છે.
ઘાટીમાં 150 થી 200 આતંકીઓ સક્રિય
ઘાટીમાં હાલ 38 વિદેશીઓ સહિત 150 થી 200 આતંકીઓ સક્રિય છે તેવી માહિતી સામે આવી છે. જેથી થોડાક સમયથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ગત આઠ નવેમ્બરે આતંકીઓએ એક નિર્દોષ યુવકની હત્યા કરી હતી. તે પહેલા પણ આતંકીઓએ એક કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.
ઓક્ટોબરમાં 20 આતંકીઓ ઠાર કરાયા હતા
ઓક્ટોબરની વાત કરીએ તો કાશ્મીરમાં આતંકીઓએ ઓક્ટોબર મહિનામાં 13 નાગરીકોની હત્યા કરી હતી. સાથેજ 12 જવાનો પણ આતંકી હુમલામાં શહિદ થયા હતા. જોકે આતંકીઓના વધતા ત્રાસને લઈને ભારતીય સેના પણ એકશનમાં આવી ગઈ હતી. જેમા ગત મહિને કાશ્મીરમાં કુલ 20 આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા.