નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Act)ની વિરુદ્ધ જામિયા બાદ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પણ હિંસક દેખાવો થયા. નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે લગભગ 2 હજાર લોકો એકઠા થયા હતા. ભીડ દ્વારા સીલમપુર ટી પોઇન્ટથી જાફરાબાદ ટી પોઇન્ટ વચ્ચે પથ્થરમારો કરાયો.
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન
જામિયા બાદ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પણ હિંસક દેખાવો થયા
હિંસક પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મીઓ ઘાયલ થઇ ગયા
પ્રદર્શનકારીઓએ આ દરમિયાન પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી. કેટલીક બસોમાં તોડફોડ કરી. જેમા ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થઇ ગયા. આખા વિસ્તારમાં ફોર્સ તહેનાત કરી દેવાઇ છે. દેખાવો થયા બાદ જાફરાબાદ, મોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવાયા છે.
નોંધનીય છે કે, પૂર્વોત્તર દિલ્હીના સીલમપુર વિસ્તારમાં મંગળવારે સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં રેલી નીકાળવામાં આવી. આ દરમિયાન સ્થાનિય લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ભીડને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા. આ સંબંધમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સીલમપુર ટી પોઇન્ટ પર લોકો એકત્ર થયા અને બપોરે લગભગ બાર વાગ્યે વિરોધ પ્રદર્શન શરૂ થયા. પ્રદર્શનકારીઓએ સંશોધિત નાગરિકતા કાયદા (CCA), NRC અને સરકારના વિરોધમાં નારેબાજી કરી.
#WATCH Delhi: Police take away protesters from the spot where a clash broke out between police and protesters, during protest against #CitizenshipAmendmentAct today. Police has also used tear gas shells to disperse the protesters. pic.twitter.com/DkPGAEQ1tM
વિસ્તારમાં પ્રદર્શન બાદ દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે. સીલમપુરથી જાફરાબાદ જતી 66 ફૂટ રોડ પર વાહન વ્યવહાર પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 કલાકથી વધારે સમય સુધી પ્રદર્શનકારી સતત પ્રદર્શન કરી રહ્યા છે. સ્થિતિ બગડતી જોઇ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.