યૂપી-રાજસ્થાન બોર્ડર પર કોંગ્રેસની ટીમ 1000 બસો સાથે ઊભી રહેવા હોવાનો દાવો કરી રહી છે. બીજી બાજુ યૂપી પોલિસ આ બસોને રાજ્યમાં દાખલ થવા દેતી નથી.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અજય કુમાર લલ્લૂને યૂપી પોલીસ ટાંગકર પોતાની સાથે લઇ ગયા
1000 બસો સાથે યૂપી બોર્ડર પર હાજર થવાનો દાવો કરી રહ્યા હતા UP કોંગ્રેસ ચીફ અજય
યોગી સરકારે કહ્યું કોંગ્રેસે જે 1000 બસોનું લિસ્ટ મોકલ્યું છે, એમાં મોટરસાઇકલનો પણ નંબર
યૂપી-રાજસ્થાન બોર્ડર પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદેશ સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કર્યા
કોરોના વાયરસના કારણે દેશ ભરમાં લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઇ ગયો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોંગ્રેસની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના નજીક બોર્ડર પર મંગળવારે યૂપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ પોતાના સમર્થકોની સાથે હાજર હતા. એ દરમિયાન પોલીસ એમને હાથ-પગ પકડીને લઇ ગઇ.
અજય કુમાર લલ્લૂને કસ્ટડીમાં લઇ ગયા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ કેસ ટ્વિટ કર્યો છે.
પ્રિયંકાના પર્સનલ સચિવ અને યૂપી કોંગ્રેસ ચીફ પર કેસ
આ સાથે જ પ્રિયંકા ગાંધીની પર્સનલ સચિવ સંદીપ સિંહ અને યૂપી કોંગ્રેસ ચીફ અજય કુમાર લલ્લૂની સામે લખનઉ સ્થિત હજરતગંજ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
उप्र सरकार ने हद कर दी है। जब राजनीतिक परहेजों को परे करते हुए त्रस्त और असहाय प्रवासी भाई बहनों को मदद करने का मौका मिला तो दुनिया भर की बाधाएँ सामने रख दिए। @myogiadityanath जी इन बसों पर आप चाहें तो भाजपा का बैनर लगा दीजिए, अपने पोस्टर बेशक लगा दीजिए लेकिन हमारे सेवा भाव..1/2 pic.twitter.com/4SW3cax2H5
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 19, 2020
શું બોલ્યા યૂપી કોંગ્રેસ ચીફ
બસોને પરવાવગી ના આપવાના કેસમાં અજય કુમાર લલ્લૂએ કહ્યું, 'અમે ગરીબ શ્રમિકોને એમના ઘર સુઘી પહોંચાડવા માંગીએ છીએ.પરંતુ આ સરકાર સંવેદનહીનતાની તમામ પરાકાષ્ઠા પાર કરી ચુકી છે. આ સરકાર ઇચ્છતી નથી શ્રમિક એમના ઘરે પહોંચે.'
યૂપી પોલીસ અને અજય કુમાર લલ્લૂની વચ્ચે વિવાદ
આ પહેલા ઇમરાન પ્રતાપગઢના ટ્વિટથી અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં યૂપી કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ એવું કહેતા નજરે આવી રહ્યા છે, 'અમારી 100 બસો તૈયાર છે. અમને જવા દો કારણ કે મજૂરોને ઘર સુધી પહોંચાડી શકીએ.'
અજય લલ્લુની ધરપકડ
કોંગ્રેસની બસો દ્વારા શ્રમિકોને મોકલવાના મામલે ઘમાસાણ થતાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રાના પર્સનલ સેક્રેટરી અને UP કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુ વિરુદ્ધ FIR દાખલ કરાઈ. પોલીસે કહ્યું સરકારની ગાઈડલાઈન પ્રમાણે પરમિશન લીધી નહોતી.
एक तरफ़ सरकार बसों की अनुमति देती है और दूसरी तरफ़ बॉर्डर पर पुलिस बसों को नोएडा- गाजियाबाद नहीं जाने दे रहीं और ना ही लिखित में कारण बता रही है। मुख्यमंत्री जी कांग्रेस पार्टी श्रमिकों की सेवा के लिए प्रतिबद्ध है। कांग्रेस श्रमिक भाईयों को ऐसे हालात में नहीं छोड़ सकती। pic.twitter.com/rq8umtV9Nw
'...કોંગ્રેસની જૂની ટેવ છે'
બીજી બાજુ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી ડૉ.દિનેશ શર્માએ કહ્યું, 'સમગ્ર દેશમાં શ્રમિકોને લાવવાના ઘણા કામ કરવામાં આવ્યા છે તો એ યૂપી સરકારે કર્યું છે. આ સમયે દરેકે એક સાથે મળીને કામ કરવું જોઇએ, પરંતુ કોંગ્રેસે ગુમરાહ કરવાનું કામ કર્યું છે, એમનું આચરણ સામે આવી ગયું છે.' એમને કહ્યું કે શ્રમિકોને લાવા-લઇ જવા માટે જિલ્લાની બોર્ડર પર 200 બસો રાખવામાં આવી છે. જિલ્લા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આવું કામ સમગ્ર દેશમાં માત્ર યોગી સરકારે કર્યું છે.