ખેડાના માતરમાં દેસાઈપોળમાં જૂથ અથડામણ થઈ છે. ધાર્મિક તહેવાર દરમિયાન ઝંડા લગાવવા બાબતે માથાકૂટ થતા ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે.
અથડામણમાં 1ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જૂથ અથડામણ દરમિયાન કાર અને બાઈકમાં આગચંપી કરાઈ છે. માતર માં બે કોમો વચ્ચે હિંસક અથડામણમાં ચાર લોકોને ઇજા કરવામાં આવી છે.
આ સાથે વાહનો ઘર અને લારી ગલ્લામાં તોડફોડ કરવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ માતર બંધનું એલાન કરવામાં આવ્યું છે અને અથડામણ બાદ એક જ કોમના ઇજાગ્રતને હોસ્પિટલમાં પોલીસ દ્વારા માર મરવામાં આવી ધમકવવાને લઈ પરિષદ દ્વારા પીએસાઈ અને ડિવાઈએસપીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એક હજારથી વધુ લોકોના હુમલા અને ફાઇરિંગની વાત કરવામાં આવેલ જોકે પોલીસે આ આરોપોને ફગાવ્યા છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. ત્યારે આગામી ઇદે મિલાદ અને દેવદિવાળીના તહેવાર અને સીએમ ના વડતાલ અને નડીયાદમાં ધાર્મિક કાર્યક્રમ વચ્ચે ધાર્મિક સોહાર્દ બની રહે તે પોલીસ માટે પડકાર બની ગયો છે.