ગીર સોમનાથના વેરાવળ ખાતે ગત રાત્રે ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવતા બે સમુદાય વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.
વેરાવળમાં ગત રાત્રે બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો
ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવતા થયો વિવાદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો
ગીર સોમનાથના વેરાવળ ખાતે ગત રાત્રે બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો. ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવતા વિવાદ સર્જાયો હતો. જો કે, બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતા જ SP સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે બંને સમુદાયના ટોળાને કાબુમાં લઇ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે કેટલાંક યુવકોની અટકાયત પણ કરી છે. પોલીસે યુવકોની અટકાયત કરી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, બાદમાં મોડી રાત્રે બે સમુદાયના આગેવાનો સાથે SPએ બેઠક કરી હતી. લોકોને શાંતિ જાળવવા માટે SPએ અપીલ કરી હતી.
તાજેતરમાં જ ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના પર્વે ભારે હિંસા થઇ હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમાં ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્વોએ વાહનો સળગાવ્યા હતાં તો પોલીસ પર પણ પથ્થરમારો કરાયો હતો. તો બીજી બાજુ ખંભાતમાં પણ વાતાવરણ ગરમાયું હતું.
ત્યારે ગઇ કાલે વેરાવળમાં બે સમુદાય વચ્ચે તણાવ સર્જાતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવતા વિવાદ સર્જાયો હતો. પરંતુ ઘટના ગંભીર સ્વરૂપમાં પરિણમે એ પહેલાં જ પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. કારણ કે એક તરફ ચૂંટણી આવવા જઇ રહી છે. ત્યારે એવાં સમયે જો રાજ્યમાં ફરી વાર ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેની ચૂંટણી પર પણ માઠી અસર થઇ શકે છે. આથી SP સહિતનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
જો કે, પોલીસે આ મામલે કેટલાંક યુવકોની અટકાયત પણ કરી છે. પોલીસે આ યુવકો પર ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. બાદમાં મોડી રાત્રે બે સમુદાયના આગેવાનો સાથે SPએ બેઠક યોજી લોકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી.
ખંભાતમાં થયેલી હિંસાની ઘટના ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો બની ગયો છે
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ખંભાત હાલ હિંસાની ઘટના ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો બની ગયું છે. કારણ કે, જે ખંભાત એક વૈશ્વિક ઓળખ ધરાવતું હતું. આજે તે અસામાજિક પ્રવૃત્તિઓ માટે અને હિરજત માટે જાણીતું બનતું જઈ રહ્યું છે.
ખંભાત એટલે કે, નવાબી નગર.. જેનો વર્ષો પહેલા વેપાર ક્ષેત્રે દબદબો હતો. કારણ કે, ખંભાતના બંદર પર જ વિદેશી વેપારીઓના જહાજો લાંગરાતા હતા. વિશ્વભરમાં અહીંથી વેપાર થતો હતો. પરંતુ આ નવાબી નગરને છેલ્લા 10 વર્ષોથી વિધર્મીઓની નજર લાગી છે. જેના કારણે ભાઈચારામાં માનતું ખંભાત.. હવે કોમી છમકલાં અને તોફાનો માટે દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિધર્મીઓના કારણે અહીં લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. હિન્દુ લોકો પોળો ખાલી કરીને અન્ય શહેરોમાં જવા લાગ્યા છે. હિન્દુ વિસ્તારોમાં ખંભાતી તાળાં લાગવા માંડ્યા છે. ત્યારે કોણ છે ખંભાતની બરબાદી માટે જવાબદાર?
રામનવમીના દિવસે જે રીતે કેટલાક વિધર્મીઓએ શોભાયાત્રામાં પથ્થરમારો કરીને હિંસા ભડકાવી હતી. તે દર્શાવે છે કે, જે ખંભાત વેપાર ક્ષેત્રે પોતાની ઓળખ ધરાવતું હતું. અકીકના વ્યવસાયને લઈને દુનિયામાં જેની નામના હતી. આજે તેની ઓળખ વિધર્મી તત્વોએ ખતમ કરી નાખી છે. સ્થિતિ એવી બની છે કે, વિધર્મીઓના ત્રાસના કારણે લોકો હવે હિજરત કરી રહ્યાં છે.
હજારો લોકોએ ખંભાતની પોળોમાંથી હિજરત કરી
ખંભાતની બર્બાદીની સ્થિતિ પર નજર કરીએ તો ખંભાતમાં 100 જેટલી હિન્દુ પોળો આવેલી છે. પરંતુ આજના સમયમાં અહીં લેન્ડ જેહાદી પ્રવૃત્તિને લઈને લોકોને પોતાના પૈતૃક ઘર છોડવા પડી રહ્યા છે. હજારો લોકો ખંભાતની પોળોમાંથી હિજરત કરી ચૂક્યા છે.
ખંભાતમાં કોઈ જીવના જોખમો ધંધો નથી કરવામાં માંગતું
મહત્વનું છે કે, વિધર્મીઓના ત્રાસના કારણે અહીં ઉદ્યોગો પણ ખુબ ઓછા સ્થપાય છે. કારણ કે, કોઈપણ વ્યક્તિ જીવના જોખમે પોતાનો ધંધો આગળ વધારવા ન માગે. તેમાં પણ રામનવમીના દિવસે શોભાયાત્રામાં હિંસા ફેલાવાઈ અને એક વ્યક્તિનું મૃત્યું થયું. ત્યાર પછી અનેક લોકોએ ખંભાતમાંથી હિજરત કરી લીધી. કારણ કે, જેહાદીઓએ બહારથી લોકો બોલાવી હિંસા ફેલાવી અને પોલીસ પણ હિંસક તત્વોને રોકી ન શકી.