ઉત્તર પ્રદેશના અલીગઢમાં 2 જૂથ વચ્ચે અથડમાણ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરવાને લઇને બબાલ થઇ હતી. આ દરમિયાન બંન્ને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં 2 જૂથ વચ્ચે અથડમાણ
નમાઝ પઢવાને લઇને પથ્થર મારો થતાં 4 લોકોને ઇજા
જો કે, આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પણ તેમની સાથે પણ ટોળાએ ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. 2 જૂથ વચ્ચેના ઘર્ષણની ઘટનામાં 4 લોકો ઘાયલ થયાં છે. પોલીસે 8 લોકોની અટકાયત પણ કરી છે અને મસ્જીદ આસપાસના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે દેશભરમાં ઇદની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આજે ઇદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયા બાદ રમજાન મહિનો પૂર્ણ થાય અને શવ્વાલનો મહિનો શરૂ થતાં જ ઈદનો તહેવાર મનાવવામાં આવે છે.
ઘરે જ નમાઝ પઢવાની કરવામાં આવી છે અપીલ
કોરોના સંકટને ધ્યાનમાં લઇને, તમામ ધાર્મિક સ્થળો બંધ છે, તેથી મસ્જિદમાં નમાઝની મંજૂરી નથી. એક તરફ જ્યાં સક્રિય છે, બીજી તરફ મૌલાના અને ઉલેમાએ લોકોને ઘરે ઇદની નમાઝ પઢવાની અપીલ કરી છે. તે જ સમયે, કોરોનાને સલામત રહેવાની પ્રાર્થના કરવા અપીલ કરવામાં આવી હતી.