કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમ્યાન કોંગ્રેસ દ્વારા RSSના ડ્રેસને લઈને એવું ટ્વિટ કરવામાં આવ્યું છે કે જેના કારણે ભાજપના તમામ નેતાઓ ભડક્યા છે. ભાજપે પણ શીખ રમખાણોથી લઈને મુંબઈ રમખાણોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપે કહ્યું કે 'કોંગ્રેસને આગ લગાડવાની જૂની આદત છે.'
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસે આજે એક ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં આરએસએસના ડ્રેસમાં આગ લાગેલી જોવા મળી રહી છે. તેમાં ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં આગળ લખ્યું છે કે, "દેશને નફરતના વાતાવરણમાંથી મુક્ત કરવા અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે લક્ષ્યની દિશામાં અમે એક પગલું ભરી રહ્યાં છીએ." અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ.
ये तस्वीर BJP और RSS को प्रतिनिधित्व करते हुए कांग्रेस ने ट्वीट किया और उसमें आग जलते हुए दिखाया है। कांग्रेस ने लोगों को उकसाने के लिए ये ट्वीट किया है। इनकी भारत जोड़ो यात्रा,आग लगाओ यात्रा है। ये पहली बार नहीं है जब कांग्रेस ने इस प्रकार की तस्वीर ट्वीट की हो: संबित पात्रा,BJP pic.twitter.com/OalwDq2mVZ
આ 'ભારત જોડો યાત્રા' નહીં, આ તો 'આગ લગાઓ યાત્રા' છે: સંબિત પાત્રા
કોંગ્રેસના આ ટ્વિટ બાદ ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ નેતા સંબિત પાત્રા (Sambit Patra) એ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, 'પરિવારના ઇશારે સંઘનું અપમાન કરવામાં આવ્યું છે. આ 'ભારત જોડો યાત્રા' નહીં પરંતુ આ તો 'આગ લગાઓ યાત્રા' છે. આવું પ્રથમ વાર નથી થયું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આવું કર્યું હોય. હું રાહુલ ગાંધીને પૂછવા માંગું છું કે, શું તમે દેશમાં હિંસા ઇચ્છો છો? કોંગ્રેસે તુરંત આ તસવીરને હટાવી દેવી જોઇએ.'
બીજેપીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લખ્યું હતું કે, "દેશમાં આગ લગાવવાની કોંગ્રેસની જૂની આદત છે. 1984ના રમખાણો હોય, જલગાંવ હોય, મુંબઈ, હાશિમપુરા, ભાગલપુર કે પછી મેરઠ. આ યાદી લાંબી છે.' તેઓએ આગળ લખ્યું કે, 'આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રાજીવ ગાંધીએ 1984ના રમખાણોને કેવી રીતે યોગ્ય ઠેરવ્યા હતા. કોંગ્રેસ માત્ર દેશને ભડકે બાળવાનું જ વિચારે છે.'
Delhi | It's not 'Bharat Jodo Yatra' but 'Bharat Todo' and 'Aag Lagao Yatra'. This is not the first time Congress Party has done so. I want to ask Rahul Gandhi do you want violence in this country? Congress should take down this picture immediately: BJP's Sambit Patra pic.twitter.com/5nnK8y2GyW
કોંગ્રેસનો ખાનદાની વ્યવસાય છે કે કાં તો અમે દેશને તોડી નાખીશું, કાં તો....: ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ કહ્યું કે, 'કોંગ્રેસનો ખાનદાની વ્યવસાય છે, કાં તો અમે દેશને તોડી નાખીશું અથવા તો દેશને ભડકે બાળીશું.' કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદે પણ કહ્યું કે, 'રાજકીય મતભેદો સ્વાભાવિક અને સમજી શકાય તેવા છે. પરંતુ રાજકીય વિરોધીઓને બાળવા માટે કેવા પ્રકારની માનસિકતાની જરૂર છે? નકારાત્મકતા અને નફરતની આ રાજનીતિને બધાએ વખોડવી જોઈએ.'
બીજી બાજુ કોંગ્રેસના વિવાદિત ટ્વિટ પર RSSના પ્રચારક ડૉ. એમ વૈધએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસ લોકોને નફરતથી જોડવા માંગે છે. તેમના પિતા અને દાદાએ પણ RSSને રોકવાનો પ્રયાસ કર્યો હતો. RSSને રોકવાના પ્રયાસ બાદ પણ RSS આગળ વધતું રહ્યું છે. RSSને લોકોનું સમર્થન મળતું રહ્યું છે.'